જો આપણે આપણા સમાજમાં લિવ-ઈનનું નામ લઈએ તો ઘણા એવા લોકો મળી જશે જે તેને ખોટુ માને છે. વિદેશોમાં તો લિવ-ઈનમાં રહેવું એક સામાન્ય વાત માનવામાં આવે છે જેને હવે ઘણા ભારતીયો પણ અપનાવવા લાગ્યા છે. શું તમે જાણો છો કે આવી પ્રથા આપણા દેશમાં કેટલાક વિસ્તારોમાં શરૂઆતથી જ અસ્તિત્વમાં છે.
આવી જ એક જગ્યા છે રાજસ્થાનના ઉદયપુરનું ઝાડોલ તહસીલ. અહી રહેતા 32 વર્ષના નક્કાલાલ કસૌટીયાએ એક જ મંડપમાં ત્રણ મહિલાઓ સાથે લગ્ન કર્યા. નક્કાલાલ એક દિવ્યાંગ આદિવાસી છે. હેરાનીની વાત એ છે કે તેણે આ ત્રણેય મહિલાઓ સાથે લિવ-ઈનમાં રહ્યા બાદ આ લગ્ન કર્યા છે. આ પ્રથા આદિવાસી ઈલાકામાં નવી નથી પરંતુ સદીયોથી ચાલી આવે છે.
લાલારામ કસૌટિયાના દિકરા નક્કાલાલએ આ બુધવારે ત્રણ મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. પોતાની ત્રણેય પત્નીઓમાં પહેલી સાથે તે 12 વર્ષ બીજી પત્ની સાથે 8 વર્ષ જ્યારે તેની ત્રીજી પત્ની તેની ભાણી છે જે છેલ્લા એક વર્ષથી તેની સાથે લિવ-ઈનમાં હતી.