દીવના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુદ્ધ જહાજ આઈએનએસ ખુકરી સંગ્રહાલનું ઉદ્ધાટન અને વિવિધ સુવિધાઓ તથા વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતુ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દીવના પ્રવાસે
યુદ્ધ જહાજ INS ખુકરી સંગ્રહાલયનું કર્યું ઉદ્ધાટન
વિવિધ વિકાસ પરિયોજનાઓનું કર્યું લોકાર્પણ
દીવના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દીવમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ દીવમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દીવમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠક મળી હતી. આ ઉપરાંત અમિત શાહે સેવામુક્ત યુદ્ધ જહાજ આઈએનએસ ખુકરી સંગ્રહાલયનું પણ ઉદ્ધાટન કર્યું હતું. યુદ્ધ જહાજની મુલાકાત બાદ અમિત શાહે વિઝીટર બુકમાં નોંધ કરી હતી. આપને જણાવી દઈએ કે, આઈએનએસ ખુકરી કે જે સ્વદેશમાં નિર્મિત મિસાઈલ કાર્વેટ્સમાંનું પ્રથમ જહાજ છે. તેને ગુરૂવારે 23 ડિસેમ્બર, 2021ના રોજ 32 વર્ષની શાનદાર સેવા પછી સેવામુક્ત કરી દેવામાં આવ્યું છે.
દીવના સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધી
દિવ ખાતે અમિત શાહની આગેવાનીમાં વેસ્ટ ઝોનની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, દીવ દમણ અને સેલવાસના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, રાજ્યના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને દીવના સાંસદ લાલુભાઇ પટેલ હાજર રહ્યાં હતા. જેમાં જરૂરી બાબતોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.બેઠક પૂર્ણ કર્યા બાદ અમિત શાહે દીવના સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધી હતી. આ સભામાં અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા 8 વર્ષના કામોની વાત કરી અને ત્યારબાદ તેમને પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પાકિસ્તાનમાં ઘરમાં ઘુસી સબક શીખવાળ્યો હોવાનું કહી વડાપ્રધાન મોદીની કામગીરીને વખાણી હતી એટલું જ નહીં અચ્છે દિન આવી ગયાનું કહી 50 વર્ષમાં કોંગ્રેસની નિષ્ફળતા ગણાવી હતી.
હવે INS ખુકરી ટૂરિસ્ટો નિહાળી શકશે
અમિત શાહે સભા પૂર્ણ કર્યા બાદ નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ ખુકરીની પણ મુલાકાત લીધી હતી. આ તકે અમિત શાહ સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ જોડાયા હતા. યુદ્ધ જહાજની મુલાકાત બાદ વિઝીટર બુકમા નોંધ પણ કરી હતી.INS ખુકરી ટૂરિસ્ટો માટે ખુલ્લું મૂક્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહ પ્રથમ વિજીટર બન્યા હતા. આ તકે અમિત શાહે જણાવ્યુ હતુ કે ખુકરી સંગ્રહાલયથી દીવ ભારત માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
INS खुकरी युद्धपोत अब एक संग्रहालय के रूप में दीव आने वाले पर्यटकों के आकर्षण का प्रमुख केन्द्र बनेगा।
यहाँ आने वाले पर्यटक 32 साल से राष्ट्रसेवा में समर्पित इस युद्धपोत का भ्रमण कर इसके इतिहास व भारतीय नौसेना के शौर्य व बलिदान की गौरवगाथा को करीब से जान पाएंगे। pic.twitter.com/oRtutUtvxi
ખુકરી સમારક જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું કામ કરશે
વધુમાં તેમણે જણાવ્યુ કે ખુકરી સમારક ભારતની સુરક્ષા માટે બલિદાન આપનાર સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું કામ કરશે. તમણે નરેન્દ્ર મોદીની દૂરદ્રષ્ટિ જોઈ દુનિયાના લોકો દાંત નીચે આંગળી દબાવતા હોવાની પણ વાત કરી હતી. અમિત શાહે જણાવ્યુ કે 5 વર્ષ ભાજપ પાર્ટીનો અધ્યક્ષ રહ્યા બાદ 3 વર્ષ નરેન્દ્ર મોદીએ કેબિનેટમાં કામ કરવાની તક આપી છે. વેસીનેશન કામગીરીને વખાણતા તેમણે ઉમેર્યું હતું કે, દુનિયાના દેશો આજે પૂછી રહ્યા છે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થયો કે કોઈપણ અફરાતફરી વગર 130 કરોડની જનતાને વેકસીન આપવામાં આવી અને લખો લોકોને મફત અનાજ આપવાનું કામ કરાયું.
आज दीव में दमन व दीव प्रशासन द्वारा सेवामुक्त युद्धपोत INS खुकरी को संग्रहालय के रूप में जनता को समर्पित किया गया।
INS खुकरी (P49) युद्धपोत भारतीय नौसेना का पहला स्वदेशी निर्मित मिसाइल कार्वेट है, जिसे 32 साल तक देश की समुद्री सीमाओं को सुरक्षित रखने का गौरव प्राप्त है। pic.twitter.com/a43zFjXzXx
કોંગ્રેસના રાજમાં દેશી કટ્ટા બનતા આજે દેશમાં તોપના ગોળા બને છે
યુવાઓ માટેની યોજનાઓ વિષે વાત કરતાં અમિત શાહે જણાવ્યુ હતું કે નરેન્દ્ર મોદીએ યુવાઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.સ્ટાર્ટ અપ 25થી 30 વર્ષના યુવાનો સેટેલાઇટ છોડવાના સાધનો બનાવતા થઈ ગયા છે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થકી ખેલાડીઓને પસંદગી અને પ્રોત્સાહન આપ્યું જેને પગલે પદકોમાં ભારતનુ નામ 1થી 5માં હશે. આ ઉપરાંત ભવિષ્યમાં ગમે ત્યારે મહામારી આવે ત્યારે 1 લીટર ઓક્સિજન પણ બહારથી મંગાવવો ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં કોંગ્રેસને આડેહાથ લેતા તેમણે જણાવ્યુ કે કોંગ્રેસના જમાનામાં દેશી કટ્ટા બનતા હતા. નરેન્દ્ર મોદીની પ્રોત્સાહક યોજનાઓના ફળ સ્વરૂપે આજે દેશમાં તોપના ગોળા બનાવવાનું કામ પણ શરૂ થયું છે.
છેલ્લા 8 વર્ષથી તમામ કેન્દ્રશાસિત પ્રદેશોના સર્વાંગી વિકાસ માટે @narendramodi સરકાર સતત સમર્પિત ભાવ સાથે કામ કરી રહી છે.
આજે દીવમાં ₹74.1 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ દમણ અને દીવમાં પ્રગતિ અને પ્રવાસનના નવા આયામો ખોલશે તેમજ અહીંની માળખાકીય સુવિધાને મજબૂત કરશે. pic.twitter.com/xPu9zIAkR7