કોરોના વાયરસમાં મહારાષ્ટ્ર મુંબઈ હાલ ટોપ ઉપર છે ત્યારે આજથી દીવથી મુંબઈની વિમાની સેવા શરૂ થઈ છે. જેમાં મુંબઈથી 9 લોકો દીવ પહોંચ્યા હતા પરંતુ દીવથી કોઈ મુંબઈ જવા તૈયાર નથી ત્યારે મુંબઈ વિમાન સાવ ખાલી પરત ફર્યુ હતુ.
એર ઇન્ડિયાની ફ્લાઇટ 9 પેસેન્જરોને લઇ દીવ પહોંચી
દીવથી મુંબઈ જવા માટે એકપણ પેસેન્જર નહીં
પેસેન્જર ન હોવાથી ફ્લાઇટ ગઈ ખાલી
લોકડાઉનના કારણે ફ્લાઇટો બંધ હતી. પરંતુ હવે ફ્લાઇટો શરૂ થઇ છે. ત્યારે બે મહિના બાદ ફ્લાઇટ મુંબઇથી દીવ પહોંચી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ 9 પેસેન્જરોને લઇ દીવ પહોંચી છે. બે દિવસ ટેક્નીકલ ખામીને કારણે આજથી વિમાની સેવા શરૂ થઇ છે. તો દીવથી ફ્લાઇટ મુંબઇ જવા માટે રવાના થઇ હતી. પરંતુ દીવથી મુંબઈ જવા માટે એકપણ પેસેન્જર નહતા. પેસેન્જર ન હોવાથી ફ્લાઇટ ખાલી ગઇ હતી.
આ સમયે તમામ મુસાફરોને માસ્ક અને ગ્લોઝ ફરજિયાત પહેરવાના રહશે. પ્રવાસી એરપોર્ટમાં પ્રવેશ કરશે તેની સાથે જ પ્રવાસીનું થર્મલ ગનથી સ્કેનિગ કરવામાં આવશે અને ત્યારબાદ જ ફ્લાઇટમાં બેસવા દેવાશે. જો કે પ્રવાસીને કોરોના કોઈ લક્ષણ દેખાશે તો ફ્લાઇટમાં બેસવા દેવામાં નહીં આવે.
વિદેશી ઉડાનો માટે ગાઇડલાઇન જાહેર
વિદેશી ઉડાનો મામલે કેન્દ્ર સરકારે કહ્યું છે કે, મુસાફરોને 14 દિવસ ફરજિયાત ક્વોરોન્ટાઈન રખાશે, 7 દિવસ ક્વોરોન્ટાઈન થવા પર નાણા ચૂકવવા પડશે. અન્ય 7 દિવસ મુસાફરોએ હોમક્વોરોન્ટાઈન રહેવા સુચન કરાયું છે. લક્ષણ દેખાવા પર હોસ્પિટલનો સંપર્ક કરવા નિર્દેશ અપાયા છે.