પ્રવાસન સ્થળ દીવમાં દીવ પ્રસાશને માસ્ક ન પહેરવાનો દંડ 4 ગણો વધારી દીદો છે. માત્ર બે દિવસ પહેલા દીવ કલેક્ટરે દિવને કોરોનાં મુક્ત જાહેર કર્યું હતું. દીવમાં આવતા પ્રવાસીઓ માસ્ક વગર ફરવા લાગતા દીવ પ્રસાશને માસ્ક ન પહેરવા બદલ કરાતો દંડ વધારી દીધો છે. આથી અનેક લોકો દંડાયા છે.
કોરોનાના વધતા કેસને લઇને દીવ તંત્રએ કર્યો મહત્વનો નિર્ણય
દીવમાં માસ્ક ન પહેરવા પર દંડની રકમ 4 ગણી વધારાઇ
દીવમાં ફરવા આવતા લોકો માસ્ક વગર ફરતા લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, દિવાળીનાં તહેવાર દરમિયાન પ્રવાસન સ્થળ દીવ જાણે મીની ગોવા હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં દીવનાં નાગવા બીચ અને કિલ્લા પર પ્રવાસીઓ ઉમટી પડયા હતા. હજારો પ્રવાસીઓ ઉમટી પડયા પરંતુ સહેલાણી ઓ કોવિડને નજર અંદાજ કરતા નજરે પડી રહ્યા હતા.
અત્યાર સુધી માસ્ક વિના ફરતા લોકોને 100 રૂપિયા દંડ હતો
અત્યાર સુધી માસ્ક વિના ફરતા લોકોને 100 રૂપિયા દંડ ફટકારવામાં આવતો હતો. પરંતુ હવેથી તે દંડની રકમ વધારી 500 રૂપિયા કરી દેવામાં આવી છે. આજે અનેક લોકોને પોલીસે દંડ ફટકારી માસ્ક અંગેના કાયદાનું ભાન કરાવ્યું છે. મોટા ભાગના મુખ્ય રોડનાં સર્કલ પર દીવ પોલીસને તૈનાત કરી ચેકીંગ હાથ ધરાયુ છે.
ગુજરાતમાં સ્થિતિ બની છે ચિંતાજનક
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયુ લાદવામાં આવ્યો છે જેનો આજે બીજા દિવસે પણ કડક રીતે અમલ કરવામાં આવ્યો હતો. જો કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ પુરો થશે અને જનજીવન રાબેતા મુજબ સાથે ત્યારે આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1495 કેસ નોંધાયા છે
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1167 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,79,953 પર પહોંચ્યો છે. આજે 13 દર્દીઓના કોરોનાને કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3859 પર પહોંચ્યો છે.