સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી ઘોડાપુર આવ્યું છે. નદીમાં પાણીની આવક થતા નદી ગાંડીતૂર થઇ છે. નદીનું પાણી કોઝ-વે પર ફરી વળ્યું છે. રસ્તો બંધ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જીવના જોખમે લોકો રસ્તા પરથી પસાર થઇ રહ્યાં છે. શિયાણી, ખજેલી, તાવી, ભગવાનપરના ગામને મુશ્કેલી થઇ છે. રાણાગઢ, નાની કઠેચી, મોટી કઠેચના લોકો અટવાયા છે.