દેશની સરકારી શાળાઓના હાલ કોઇથી છૂપા નથી, એજ કારણ છે કે આ શાળાઓમાં ખુબ જ ગરીબ વર્ગના પરિવારના બાળકો જ ભણવા માટે આવે છે. જેને લઇને આ શાળાઓની દશા અને દિશા સુધરવાનું નામ નથી લઇ રહી. પરંતુ આ શાળાઓની સ્થિતિ યોગ્ય કરવા માટે એક આઇએએસ અધિકારીએ ઉત્તમ રસ્તો શોધી કાઢ્યો છે.
મધ્યપ્રદેશના આઇએએસ અધિકારી અને ડીએમ ડોક્ટર પંકજ જૈને સરકારી શાળામાં પોતાના બાળકોને દાખલ કર્યા છે, તેમણે કોઇ મોટી શાળાઓના બદલે પોતાના બાળકોને અહીંના આંગણવાડી શાળામાં દાખલ કરાવ્યા છે, જેને ચોતરફ ચર્ચા થઇ રહી છે.
શાળાઓમાં થશે સુધારો
મધ્યપ્રદેશના કટનીના જિલ્લા અધિકારી પંકજ જૈને પોતાની દીકરી પંખુડીને આંગણવાડીની શાળામાં ભણવા બેસાડી છે. આ આંગણવાડી કેન્દ્ર નજીકના જ વિસ્તારમાં છે, જ્યાં પંખુડી દરરોજ ભણવા માટે જાય છે. આ વખતે ડીએમ પંકજનું કહેવું છે કે તેમની દીકરી પંખુડી આંગણવાડી શાળામાં ભણવા માટે જાય છે, આ આંગણવાડી કેન્દ્ર આસપાસના ચાર-પાંચ કિલોમીટરમાં બનેલા કોઇ પણ પ્લે સ્કૂલથી કમ નથી.
તેમણે કે જ્યારે જવાબદાર અધિકારી પોતાના બાળકોને અહીં ભણવા માટે મોકલશે તો શાળાઓની સ્થિતિ ખુબ જ સુધરી જશે. કારણ કે તમે ખુદ શાળા પર નજર રાખો છો, અછત વર્તાય તરત તેને સુધારવા માટે ટોકે છે.
રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યા વખાણા
આ બાબતની મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને જાણકારી મળી તો તેમણે પોતે ડીએમ પંકજ જૈનને શુભેચ્છા પાઠવી. રાજ્યપાલે આનાપર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે પંકજ જૈને એક પત્ર લખ્યો, જેમાં તેમણે પંકજના વખાણ કર્યા છે. સાથે જ તેમણે લખ્યું કે લોકસેવક સમાજમાં પ્રેરણાનું કેન્દ્ર હોય છે, તેમનું આચરણ સમાજ માટે પ્રેરણાદાયી હોય છે અને લોકો તેને અનુસરે છે. કર્તવ્યો પ્રત્યે તમારી સહજતાએ મને ઘણી પ્રભાવિતક રી છે, તમારા આ પ્રયાસથી સત્તાધારી સેવકોમાં દાયિત્વના ભાવનો વિકાસ થશે.
લોને મળશે પ્રેરણા
ડીએમના વખાણ કરતા આનંદીબેને લખ્યું કે આ પહેલથી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓને ઉત્તમ પ્રકારે લાગૂ કરાવવા માટે લોકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આશા છે કે આ નિષ્ઠાની સાથે લોકો જનસેવામાં લાગેલા રહે. રાજ્યપાલ આનંદીબેનનો આ પત્ર સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, લોકો આને મોટી સંખ્યામાં શેર કરી રહ્યા છે.