પાટણના હારીજ APMCમાં ચણા ખરીદી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં હવે APMCના ચેરમેન ભગવાન ચૌધરીની મુશ્કેલી વધી શકે છે. જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંહ ગુલાટીએ તપાસનો આદેશ આપ્યો છે. જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંહ ગુલાટીએ VTVને ટેલિફોનિક વાતચીતમાં આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે ખેડૂતોના નામે રજીસ્ટર કરીને બારોબાર ચણાની ખરીદી કરવામાં આવી હતી.
પાટણના હારીજ APMCમાં ચણાની ખરીદીમાં કૌભાંડ કેવી રીતે થયું?
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઇ હતી. ત્યારે પાટણના હારીજ APMCમાં જે ગામમાં ચણાનું વાવેતર ન થયું હોય તેવા 14 ગામોમાં ખેડૂતો નામે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તેમજ તે જ ખેડૂતોના નામે રજીસ્ટ્રેશન કરી ચણા વેચ્યા હતાં. આ તમામ ચણાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, હારીજમાં વર્ષ 2020-21માં ચણાનું કોઈ વાવેતર થયું નથી. ત્યારે હારીજની એક મંડળીએ ખેડૂતોના નામે લાખો રૂપિયાની કરી ચૂકવણી કરવામાં આવી છે.પાટણના હારીજ APMCમાં બોગસ દસ્તાવેજી પુરાવાના આધારે ટેકાના ભાવે ચણાની ખરીદીના કૌભાંડ મામલે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો હતો.
આ અહેવાલ બાદ હારીજ APMCના ચેરમેન ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ઉલ્લેખનીય છે કે ,ચણાની ખરીદી માટે જે મંડળીને કામ સોંપાયું હતું તે APMC ચેરમેનના ભગવાન ચૌધરીની હોવાનું બહાર આવ્યું. આ અહેવાલ બાદ હારીજ APMCના ચેરમેન ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ અંગે સેક્રેટરીને પણ ખ્યાલ નથી. આમ હારીજમાં વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયો હતો. અહેવાલ પ્રસારીત થયા બાદ હારીજ APMCના ચેરમેન ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં.