આજે અને સોમવારે જૂનાગઢ અને શહેરની બહારથી આવતા શ્રદ્ધાળુઓને પવિત્ર એવા દામોદર કૂંડમાં સ્નાન-દાનનો લાભ નહિ મળે. જીલ્લા કલેકટરનું જાહેરનામું
આજે અને આવતીકાલે જૂનાગઢમાં પ્રતિબંધ
દામોદર કૂંડ -ભવનાથમાં નહિ જઈ શકાય
અમાસનું પવિત્ર સ્નાન નહિ લઇ શકે શ્રદ્ધાળુઓ
સોમવારે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવા સાથે સોમવતી અમાસ પણ છે.ત્યારે જૂનાગઢ અને શહેરની બહારથી આવતા શ્રદ્ધાળુઓને પવિત્ર એવા દામોદર કૂંડમાં સ્નાન-દાનનો લાભ નહિ મળે.જુનાગઢ જીલ્લા કલેકટરએ જાહેરનામું બહાર પાડી ફરમાન કર્યું છે કે, 5 અને 6 સપ્ટેમ્બરે દામોદર કૂંડ અને ભવનાથમાં પ્રવેશબંધી રહેશે. પરિણામે સોમવતી અમાસના પવિત્ર સ્નાનથી યાત્રાળુઓ વંચિત રહી જશે. પરિણામે શ્ર્દ્ધાળુંઓ માં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
પૂરાણોમાં છે અમાવાસ્યાના સ્નાનનું મહત્વ
જુનાગઢ અને ગીર-સોમનાથમાં પવિત્ર સ્નાનનો મહિમા બે જગ્યાએ વિશેષ છે. ગીર-સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ અને જૂનાગઢના દામોદર કૂંડમાં અમાવાસ્યાના દિવસે કરાયેલું સ્નાન અને સ્નાન બાદ કરાયેલા દાનનું વિશેષ મહત્વ પૂરાણોમાં દર્શાવાયું છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના સંક્રમણના કારણે શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્નાનથી વંચિત રહ્યા છે. દરમિયાન જે ભાવિકોએ કોરોના કાળમાં પોતાના વડિલો ગુમાવ્યા છે.તેઓ માટે અમાવાસ્યાનો દિવસ પિતૃ તર્પણનો કહેવાતા,આવા ભાવિકો માટે સ્નાનનું મહત્વ વધી જાય છે.પરંતુ, જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પડી બે દિવસ માટે દામોદર કૂંડ અને ભવનાથમાં પ્રવેશબંધી ફરમાવી છે.જીલ્લા સમાહર્તાએ કોરોનાનું સંક્રમણ નાં ફેલાય તેની તકેદારીના ભાગરૂપ આ પ્રવેશબંધી ફરમાવી છે.
સરકાર છે નવા આયોજનોમાં
એક તરફ,રાજ્ય સરકાર અંબાજી પદયાત્રા કે મેળા અંગે છૂટછાટ આપવા ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી કરાવવાની તજ-વીજમાં લાગી છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી ખુદ કહે છે કે,હવે કોરોના સંક્રમણ ઓછું થયું છે ત્યારે,અંબાજી પદયાત્રા અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.આવું જ કઈક શેરી ગરબા માટે પણ વિચારાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે હવે જ્યારે સંક્રમણ ઓછું જ થયું છે ત્યારે પવિત્ર સ્નાન માટે પ્રતિબંધ કેમ ?
ગત સપ્તાહે ઉમટયા લાખો યાત્રાળુઓ
ગત સપ્તાહે, સાતમ-આઠમના તહેવારની રજાઓમાં ગુજરાતના કોઈ પણ પવિત્ર યાત્રાધામમાં એક લાખથી ઓછી ભીડ નહોતી.ચોટીલા,પાવાગઢ,સોમનાથ,અંબાજી,સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોએ 1 થી દોઢ લાખની ભીડ જોવા મળી હતી.જો સંક્રમણ ઓછું થયું છે તો મંદિરોમાં આટલી ભીડ થઇ છે. ત્યારે સરકાર કે જિલ્લા કલેકટર કેમ જાહેરનામું બહાર ના પાડી શક્યા ? શ્રદ્ધાળુઓને આ સવાલ કોરી ખાય છે. ખુદ રાજ્ય સરકારે યાદી બહાર પાડી હતી કે, સાતમ-આઠમના તહેવારોમાં ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર કેટલા નાગરિકો પ્રવાસી તરીકે આવ્યા હતા.
સોમવતી અમાવાસ્યાના પવિત્ર દિવસે જૂનાગઢના દામોદર કૂંડ અને ભવનાથ મંદિર પરિસરમાં પ્રવેશબંધી સામે શ્રદ્ધાળુંઓની ધાર્મિક લાગણી દુભાઈ તે સ્વાભાવિક છે.