બેન્કોને મર્જર કરવાના આદેશને પગલે સ્ટેટ ફો.ઓપેરેટિવ બેન્કોના અસ્તિસ્વ સામે સવાલ ઉઠી રહ્યો છે. ત્યારે સુરતની 112 વર્ષ જૂની બેન્કનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું
સહકારી બેન્કો 11 લાખ ગ્રહકો 9 હજાર કરોડનો વહીવટ ધરાવે છે
સહકારી બેંકોને મર્જર કરવાના RBI ના આદેશને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેન્કોને મર્જર કરવાના આદેશને પગલે સ્ટેટ ફો.ઓપેરેટિવ બેન્કોના અસ્તિસ્વ સામે સવાલ ઉઠી રહ્યો છે. ત્યારે સુરતની 112 વર્ષ જૂની બેન્કનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. ગુજરાતાં સ્ટેટ કો.ઓપરેટિવ બેન્કો 11 લાખ ગ્રહકો અને 9 હજાર કરોડનો વહીવટ ધરાવે છે.
સુરતની 112 વર્ષ જૂની બેન્કનું અસ્તિત્વ પણ જોખમમાં
સુરતમાં આવેલી 112 બર્ષ જૂની બેન્ક જે મર્જ કરાશે તેને લઈને પણ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે મનાઈ છે કે ખેડૂતોના પરસેવાની કમાણીથી આ બેન્કોનું અસ્તિત્વ ટકેલું છે. અગાઉ પણ ખેડૂતોના વિરોધના કારણે ત્રણ વખત આ બેન્કને મર્જ કરવાનો નિર્ણય પડતો મુકાયો છે પરતું હવે RBIના આદેશ પ્રમાણે આ બેન્કો સામે પણ જોખમ તોડાઈ રહ્યું છે.
મહત્વનું છે કે રાજ્યોએ RBIને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કો અને સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કોમાં મર્જર કરવાનો આગ્રહ કર્યો એ પછી જ RBIએ નવી ગાઈડલાઈન બહાર પાડી બન્કોને મર્જર કરવાનો નિર્ણય કર્યો છે. આ ગાઈડલાઈન્સ મુજબ લીગલ ફ્રેમવર્કની વિસ્તૃત સ્ટડી પછી રાજ્યો તરફથી પ્રસ્તાવ મોકલવામાં આવશે અને પછી જ RBI બેન્કોના મર્જર પર વિચાર કરશે.
સહકારી બેન્કો 11 લાખ ગ્રહકો 9 હજાર કરોડનો વહીવટ ધરાવે છે
RBI બેન્કોના મર્જર પર બેન્કના શેરહોસ્લર્સની મંજૂરી કે સહમતી જરૂરી છે. આ સિવાય રાજ્ય સરકારના પ્રસ્તાવનું નાબાર્ડ પરીક્ષણ કરશે અને પ્રસ્તાવની ભલામણ કરશે. તેમજ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કોના સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કમાં મર્જરના પ્રસ્તાવને RBI નાબાર્ડની સાથે પરીક્ષણ કરશે ત્યાર બાદ જ સહકારી બેન્કોને મર્જર કરવાનો RBI આદેશ કરશે.