14મી વિધાનસભાનું અંતિમ વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ પુરવઠા મંત્રી નરેશ પટેલે મોંઘવારી મુદ્દે નિવેદન આપ્યું હતું.
14મી વિધાનસભાનું અંતિમ વિધાનસભા સત્ર પૂર્ણ
નરેશ પટેલે મોંઘવારી મુદ્દે નિવેદન
સપ્ટેમ્બર માસ સુધી મફતમાં અનાજ આપ્યું છે
14મી વિધાનસભાનું અંતિમ વિધાનસભા સત્ર પૂર્ણ થયું છે. આજે બે દિવસીય ટૂંકા સત્રનો અંતિમ દિવસ હતો. આ દરમિયાન તમામ વિધાયકો સારી રીતે પસાર થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ટૂંકી મુદ્દતનો પ્રશ્ન તેલના ભાવો અંગે હતો. જે મામલે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે નિવેદન આપ્યુ હતું.
ગુજરાત રાજ્ય દ્વારા દાળનો ભાવ ફિક્સ કર્યો
કોંગ્રેસના MLA ઇન્દ્રજીતસિંહ પરમારનો મોંઘવારીનો પ્રશ્ન હતો. જેમાં સાત જેટલા સભ્યોએ જવાબ આપ્યા હતા. છેલ્લા મંત્રી તરીકે નરેશ પટેલે જવાબ આપ્યો હતો. જેમાં ઝીણવણપૂર્વક જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. સપ્ટેમ્બર માસ સુધી મફતમાં અનાજ આપ્યું છે. 1.80 લાખ મેટ્રિક ટન અનાજ આપવામાં આવી રહ્યું છે. વધુમાં ગુજરાત રાજ્ય દ્વારા દાળનો ભાવ ફિક્સ કરાયો હોવાનું પણ જણાવાયું હતું. ઉપરાંત આવતા માસથી 30 રૂપિયા લેખે ચણા આપવા જઇ રહ્યાનો પણ ઉલ્લેખ કરાયો હતો. સિંગ તેલની અંદર 97 સબસિડીની અપાઈ રહી હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. '71 લાખ કાર્ડધારકોને પહેલીવાર સીંગતેલનું 100 રૂ.ના રાહત દરે વિતરણ કરાયું હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. પામોલિન તેલના ભાવમાં 148 જેટલો ઘટાડો થયો છે. જેથી ધીમે-ધીમે તમામ ભાવ અંકુશમાં આવી જશે. તેવો દાવો કર્યો હતો.
મગફના ટેકાના ભાવમાં ચાલુ સાલ વધારો કારાયો
બીજી તરફ ખેડૂતોની ચિંતા કરીને 5555 મગફના ટેકાનો ભાવ હતો. જેમાં વધારો કરાયો છે. યુક્રેન-રશિયાની લડાઈ પછી ભાવમાં અસર થઈ છે. આજે કોંગ્રેસ દ્વારા જે મોંઘવારીના મુદ્દાને ઉછાળવામાં આવ્યો હતો. જેને સંતોષ કારક જવાબ આપવામાં આવ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. તેમજ ગુજરાતમાં સારો વરસાદ થયો હોવાથી તેલિબિયાના પાક સારો થવાની આશા જાગી છે આથી આગામી સમયમાં ભાવ પર નિયંત્રણ રહેશે. તેમ નરેશ પટેલે ઉમેર્યું હતું.