આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત 13 ઓગસ્ટથી થઈ ગઈ છે. જેને લઈને દેશભરમાં રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ થઈ રહ્યું છે, જો કે આ દરમિયાન ઘણી જગ્યાએ ધ્વજનું અપમાન થતું હોવાનું પણ સામે આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત દેશભરમાં રાષ્ટ્રીય ધ્વજનું ખૂબ વેચાણ થયું
જો કે અમુક જગ્યાએ ભારતીય ઝંડાનું રીતસરનું અપમાન થતું પણ જોવા મળ્યું
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત 13 ઓગસ્ટથી થઈ ગઈ છે. જે 15 ઓગસ્ટ સુધી ચાલશે. સૌ કોઈ આ અભિયાનનો ભાગ બનવા માટે પોતપોતાના ઘર પર તિરંગો ઝંડો ફરકાવી રહ્યા છે. આ તમામની વચ્ચે રામનગર અયોધ્યા જિલ્લામાં તિરંગાનું અપમાન થતું હોવાનું સામે આવ્યું છે. જેનો વીડિયો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે.
महापौर की उपस्थिति में अयोध्या नगर निगम द्वारा कूड़ा उठाने वाली गाड़ी से राष्ट्रध्वज पहुंचाने से राष्ट्रध्वज का जो तिरस्कार हुआ है, वो अक्षम्य है।
આ અગાઉ અખિલેશ યાદવે બુલંદશહેર જિલ્લાનો વીડિયો શેર કરતા લખ્યું હતું કે, કોઈના પણ માટે દેશનો ઝંડો માન છે અને કોઈના માટે વેચવાનો સામાન છે. ભાજપાઈ દરેક વાતે દુકાન લગાવાનું બંધ કરે. 20-20 રૂપિયામાં તિરંગો વેચવાનો હાપુડ જિલ્લામાંથી એક વીડિયો અખિલેશ યાદવે શેર કર્યો હતો. વીડિયો શેર કરતા ભાજપને પૂછ્યું હતું કે, ભાજપના કાર્યાલયો તિરંગાની દુકાન બની ગયા છે. ભાજપ બતાવે તિરંગા પર કેટલો જીએસટી આપવો પડશે ?
એટલુ જ નહીં અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના એક ટ્વિટને રિટ્વિટ કરતા કહ્યું કે, જેમાં ભાજપના નેતાએ તિરંગા ઝંડાને ઉલ્ટો પકડ્યો છે. સમાજવાદી પાર્ટીએ ફોટોને ટ્વિટ કરતા લખ્યું છે કે, ભાજપના નેતાઓ સતત તિરંગાનું અપમાન કરતા રહ્યા છે. આ જ ક્રમમાં પૂર્વ સાંસદ પણ ઉલ્ટો તિરંગો પકડીને પોતાની નકલી રાષ્ટ્રભક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે.