હસ્તરેખા વિજ્ઞાનના અનુસાર હાથની રેખાઓની સાથે સાથે તમારી આંગળીઓ પણ તમારા વર્તમાન અને ભવિષ્ય વિશે જાણી શકો છો. હસ્તરેખામાં આંગળીઓની લંબાઇની સાથે તેની બનાવટ અને તેમની વચ્ચેની જગ્યા પર વ્યકિતના ચરિત્ર વિશે જણાવી શકે છે. જાણો અમે તમને જણાવીએ આંગળીઓ વચ્ચેની જગ્યાઓથી પરથી કેવું હશે તમારું ભવિષ્ય....
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર તર્જની એટલે કે અંગુઠા પાસેની આંગળી અને મધ્યમા એટલે કે મિડલ ફિંગર વચ્ચે ખાલી જગ્યા હોય તેવા વ્યક્તિની વિચારસરણી સ્વતંત્ર હોય છે. તે સરળતથી દરેક વાત રજૂ કરી શકે છે. જો આંગળીઓ વચ્ચે વધારે ગેપ હોય તો તેવા લોકો મતલબી હોય છે. જોકે આ રીતના લોકો પોતાના લક્ષ્ય પ્રત્યે ગંભીર હોય છે. જેમની મહેનત રંગ લાવે છે.
હસ્તરેખા વિજ્ઞાન અનુસાર મધ્યમા એટલે કે મિડલ ફિંગર અને અનામિકા એટલે કે રિંગ ફિંગર વચ્ચે વધારે જગ્યા ન હોવી જોઇએ. આ બન્ને આંગળીઓ જો પાસે હોય તો અશુભ માનવામાં આવે છે. જો તેની વચ્ચે ખાલી જગ્યા હોય તો તે વ્યકિત લાપરવાહ માનવામાં આવે છે. તે માત્ર પોતાના વિશે જ વિચારે છે.
અનામિકા એટલે કે રિંગ ફિંગર અને કનિષ્ઠા એટલે કે નાની આંગળી વચ્ચે ખાલી જગ્યાને અશુભ માનવામાં આવે છે. આવી વ્યકિત ખૂબ જ ક્રોધી હોય છે. તેઓ પોતાના હક માટે ગમે તે સ્તરે જઇ શકે છે. જો તેમની વચ્ચે ખાલી જગ્યા હોય તો તે સકારાત્મક વિચારે છે અને પરિવારની શાંતિ માટે દરેક પ્રયત્ન કરે છે.
જો તર્જની એટલે કે અંગુઠાની પાસેની આંગળી અનામિકા એટલે કે રિંગ ફિંગરથી નાની હોય તો વ્યકિતમાં અહં સન્માન મેળવવાની ઈચ્છા ખૂબ જ વધારે હોય છે. જો આ આંગળી અનામિકાથી મોટી હોય તો વ્યકિતના જવાબદારીવાળી એટલે કે મોટા પદ પર કામ કરે છે. જો આંગળી સામાન્ય કરતાં નાની હોય તો વ્યક્તિમાં મહત્વકાંક્ષાની ઉણપ રહે છે.
હસ્તરેખા વિજ્ઞાન અનુસાર જો કોઈની પણ આંગળીઓમાં ગેપ રહેતો નથી તો તેવા વ્યકિતઓ ગંભીર સ્વભાવના હોય છે. આવા લોકો કોઈ સાથે પણ વધારે વાત કરતાં નથી. તેઓ હંમેશા પોતાના સ્વભાવ માં જ રહે છે. જેની દરેક આંગળીઓમાં જગ્યા હોય છે તેઓ ઉર્જાવાન હોય છે. આ લોકોની વિચારસરણી ખૂબ જ સકારાત્મક હોય છે.