સમાજવાદી પાર્ટીના તમામ યુવા સંગઠનો, મહિલા સભા અને રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અને રાજ્ય કારોબારી સહિત અન્ય તમામ સેલનું વિસર્જન
સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીનું તાત્કાલિક વિસર્જન
રાષ્ટ્રીય કાર્યકારિણી સહિત તમામ સંગઠનો અને સેલનું વિસર્જન
ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ નરેશ ઉત્તમનું પદ યથાવત
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રદેશ અધ્યક્ષ સિવાય પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીનું તાત્કાલિક વિસર્જન કરી દીધું છે. સમાજવાદી પાર્ટીના તમામ યુવા સંગઠનો, મહિલા સભા અને રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અને રાજ્ય કારોબારી સહિત અન્ય તમામ સેલનું વિસર્જન કરવામાં આવ્યું છે.
તો શુ કારણે થયું કારોબારીનું વિસર્જન ?
વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કારોબારીનું વિસર્જન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટી વર્કિંગ કાઉન્સિલની બેઠક બાદ નવી કાર્યકારી સમિતિની રચના કરવામાં આવશે. આ સાથે જ પ્રદેશ પ્રમુખ નરેશ ઉત્તમનું પદ યથાવત રાખવામાં આવ્યું છે.
समाजवादी पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी ने तत्काल प्रभाव से सपा उ.प्र. के अध्यक्ष को छोड़कर पार्टी के सभी युवा संगठनों, महिला सभा एवं अन्य सभी प्रकोष्ठों के राष्ट्रीय अध्यक्ष, प्रदेश अध्यक्ष,जिला अध्यक्ष सहित राष्ट्रीय,राज्य, जिला कार्यकारिणी को भंग कर दिया है।
તાજેતરમાં યોજાયેલી લોકસભા પેટાચૂંટણીમાં સપાને મોટો ઝટકો લાગ્યો છે. રામપુર અને આઝમગઢમાં યોજાયેલી લોકસભા પેટાચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. આ બંને બેઠકો એસપીનો ગઢ માનવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુસ્લિમોએ સર્વસંમતિથી સપાને મત આપ્યો હતો.
83 ટકા મુસ્લિમો સપાની સાથે હતા: રિપોર્ટ
સીએસડીએસના રિપોર્ટ અનુસાર 83 ટકા મુસ્લિમો સપાની સાથે હતા. બસપા અને કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોને પણ મુસ્લિમોએ મત આપ્યા નથી. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને પણ મુસ્લિમોએ ફગાવી દીધી હતી. આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયે 1984ની ચૂંટણી પછી કોઈપણ એક પક્ષને મત આપ્યો હતો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં સપા 47થી વધીને 111 સીટો પર પહોંચી ગઈ છે. સપામાંથી 31 મુસ્લિમ ધારાસભ્યો જીત્યા, જ્યારે કુલ 34 મુસ્લિમ ધારાસભ્યો છે.