અમદાવાદમાં કોરોનાના વધતા કેસના કારણે AMCએ રાત્રે 10 વાગ્યા પછી દુકાન બંધ કરાવવાનો આદેશ કર્યો, તો બંધ કરવાવા જતા અધિકારી સાથે દુકાનદારે કરી દાદાગીરી
અમદાવાદ કોરોનાના સંક્રમણને લઈ તંત્ર અલર્ટ
તંત્ર દ્વારા રાતે દુકાનો બંધ કરાવતા બબાલ
અધિકારીઓ સાથે દુકાનદારે કરી દાદાગીરી
અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને લઈ તંત્ર અલર્ટ થયું છે. રાતે 10 વાગ્યે દુકાનો બંધ કરવા ગયેલા અધિકારીઓ સાથે બબાલ થઇ હતી. કોર્પોરેશનના અધિકારીઓ સાથે દુકાનદારે દાદાગીરી કરી હતી. મણિનગરમાં આવેલા શિવમ ઇલેક્ટ્રોનિકમાં અધિકારીઓ સાથે બોલાચાલી થઇ હતી.
દુકાનદારે જણાવ્યુ હતું કે, તે પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલના સંબંધી હોવાની જાણકારી આપીને બબાલ કરી હતી. તેમજ આ સમયે વીડિયો બનાવી રહેલા અન્ય કર્મીઓ સાથે પણ અસભ્ય વર્તન કરવામાં આવ્યુ હતું. આમ જોઇએ તો દુકાનો બંધ કરાવવા નિકળેલા સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓને કડવો અનુભવ થયો હતો.
ગુજરાતમાં કોરોના હજુ લોકો વચ્ચે છે. ત્યારે અમદાવાદમાં વધતા કેસ મુદ્દે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણી-પીણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણી-પીણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુરમાં 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે. સાથે મણીનગર, થલતેજ, ઘાટલોડિયા, નવરંગપુરા ગોતા અને બોડકદેવમાં પણ ખાણીપીણી બજાર રાત્રે બંધ રહેશે.