વિરમગામ નગરપાલિકા ચૂંટણીમાં મતદાતાને પોતાના પક્ષમાં મતદાન કરવા દબાણ કરાયું હોવાના આક્ષેપ છે.
વિરમગામ ન.પા ચૂંટણીમાં બુથ બહાર બબાલ
અંતિમ ઘડીએ મતદાતાઓને પ્રભાવિત કરવા મુદ્દે બબાલ
મતદાતાને પોતાના પક્ષમાં મતદાન કરવા દબાણ
વિરમગામ નગરપાલિકા ચૂંટણીમાં બૂથ બહાર બબાલ મચી હતી. અંતિમ ઘડીએ મતદાતાઓને પ્રભાવિત કરવા મુદ્દે બબાલ થઈ હોવાની માહિતી સામે આવી છે. મતદાતાને પોતાના પક્ષમાં મતદાન કરવા દબાણ કરાયું હોવાના આક્ષેપ છે. ભાજપના સભ્યોએ દબાણ કર્યા બાદ અપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામ સામે પથ્થરમારો પણ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
પોલીસનું નિવેદન
વિરમગામમાં બૂથ બહાર બબાલ બાદ SP વિરેન્દ્રસિંહ યાદવનું નિવેદન આવ્યું હતું. જેમાં એમ.જે હાઈસ્કૂલ બહાર ઉમેદવારના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હોવાની વાત કહી છે. મારામારી કરતા જૂથોને પોલીસે દૂર કર્યા હતા. કોણ લોકો હતા તેની તપાસ શરૂ કરાઈ હોવાની વાત SPએ કહી છે. ઉમેદવાર સતીસ ભરવાડ અને ધ્રુમિલ પટેલ વચ્ચે મારામારી થઈ હોવાની પણ વાત પોલીસે કરી છે. હાલની પરિસ્થિતિમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. 4થી 5 લોકોને રાઉન્ડ-અપ કરવામાં આવ્યા છે.