સી. આર. પાટીલની મધ્યસ્થતા બાદ માગ સ્વીકારવામાં આવી, પશુપાલકોને ભાવફેરની વધુ રકમ અપાશે
બરોડા ડેરીના વિવાદમાં સમાધાન થવાનો મામલો
સી. આર. પાટીલની મધ્યસ્થતા બાદ માગ સ્વીકારાઈ
પશુપાલકોને ભાવફેરની વધુ રકમ અપાશે
બરોડા ડેરીના શાસકો અને ધારાસભ્યોના વિવાદનો મામલો વકરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ એક્શનમાં આવ્યા હતા. સી.આર. પાટીલે ગઈકાલે કેતન ઈનામદાર સાથે ટેલિફોનિક વાતચીત હતી જેમાં બરોડા ડેરીમા ભાવફેર મુદ્દે ચર્ચા થઈ હતી અને ધારાસભ્યોની માંગને સી.આર. પાટીલની સર્મથન પણ આપ્યું છે. જે બાદ આજે ગાંધીનગર બોલાવી ચારેય ધારાસભ્યોની રજૂઆતને સી આર પાટીલે સાંભળી હતી જે બાદ બરોડા ડેરીના શાસકો સાથે વાત કરી વિવાદનું સમાધાન કર્યું છે. પશુપાલકોને ભાવફેરની રકમ આપવા બરોડા ડેરીના સત્તાધીશો રાજી થયા છે.
પશુપાલકોને થશે ફાયદો, ફટાકડા ફોડી ઉજવણી
બરોડા ડેરીના વિવાદમાં ભારે ઉકળાટ બાદ હવે શાંત થયો છે. બરોડા ડેરી સામે મોરચો ખોલીને બેઠેલા ધારાસભ્યો કેતન ઈનામદાર અને અક્ષય પટેલ, શૈલેષ મહેતા અને મધુ શ્રીવાસ્તવને સી આર પાટિલ દ્વારા ગાંઘીનગર બોલાવામાં આવ્યા હતા જે બાદ આજે થયેલી મુલાકાતમાં ધારાસભ્યોની વાતને બરોડા ડેરી તંત્રદ્વારા સી આર પાટિલની મધ્યસ્થતા બાદ માની લેવામાં આવી છે. સમાધાન થતાં જ કેતન ઈનામદારના નિવાસસ્થાને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. પશુપાલકોને ભાવફેરની વધુ રકમ આપવામાં આવશે સમાધાનનો સીધો ફાયદો પશુપાલકોને થશે તે વાત હવે પાક્કી છે. જેથી સાવલી ડેસર તાલુકાના પશુપાલકોએ સમાધાનની ફોર્મુલાને વધાવી લીધી છે.
MLA કેતન ઇનામદારની શું હતી માંગ
ડેરી મંડળીઓને હાલમાં દૂધના રૂ.675 કિલો ફેટે ચૂકવાય છે
મંડળીઓ રૂ.650 જ કિલો ફેટે દૂધ ઉત્પાદકોને આપે છે
મંડળીઓ રૂ.25 જમા રાખે છે,વ્યાજ પણ ઉત્પાદકોને અપાતું ન હતું
જે હવે સમાધાન થતાં પશુપાલકોને અપાશે
સી.આર.પાટીલે ગઈકાલે ઇનામદાર સાથે કરી ટેલિફોનિક વાત
ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને ગુરૂવારથી ડેરીની સામે તંબુ તાણીને બેસી જવાના સંકેત પણ આવ્યા હતા. ગઈકાલે મામલાને ઉચકતો જોઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કેતન ઈનામદાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જે બાદ આજે કેતન ઈનામદાર માની ગયા છે ઘી ના ઠામમાં ઘી પડી ગયું છે.