ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનને સિંધુ જળ સંધીમાં સુધારો કરવા માટે ભારતે નોટીસ પાઠવી છે.
સિંધુ જળ સંધીમાં સુધારો કરવા ભારતની પાકિસ્તાનને નોટીસ
નોટીસ માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો
પ્રતિકૂળતાને પગલે ભારતે પાકિસ્તાનને તાત્કાલીક સુધારા માટે નોટીસ જારી કરી
પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક સંકટથી ઘેરાયેલું છે. તેની વચ્ચે ભારતે તેને સિંધુ જળ સંધીમાં સુધારો કરવા માટે નોટીસ પાઠવી છે. કંગાળી વચ્ચે પણ પાકિસ્તાન પોતાની હરકતથી સુધરતું ન હોવાનું છાશવારે સામેં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારત અને પાકિસ્તાન સાથે જળ સંધીને પત્ર અને ભાવનાથી લાગુ કરવામાં સહાયક અને જવાબદાર ભાગીદાર રહ્યુ છે. પરંતુ પાકિસ્તાનની કાર્યવાહીથી ભારતને નોટીસ જારી કરવાની ફરજ પડી છે.
ભારતે ૯૦ દિવસનો આપ્યો છે સમય
પાકિસ્તાનને સિંધુ જળ સંધીમાં સુધારો કરવા માટે ભારતે નોટીસ પાઠવી છે. આ નોટીસ માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. ભારત દ્વારા નોટીસ બહાર પાડવાનો મુખ્ય હેતુ પાકિસ્તાનને કરારના ઉલંઘનને સુધારવા માટેનો છે. મહત્વનું છે કે આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતે સિંધુ જળ સંધિમાં સુધારો કરવાની કરી છે માંગ.
ભારતે નોટીસમાં શું કહ્યું જાણો…
ભારતે પાકિસ્તાનને પાઠવેલી નોટીસમાં જણાવ્યું હતુ કે ભારતે હંમેશા સિંધુ જળ સંધિનો જવાબદારીપૂર્વક અમલ કર્યો છે. પરંતુ પાકિસ્તાનના પગલાંથી IWTની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર પડી છે. જેને લઈને ભારતે પાકિસ્તાનને તાત્કાલીક સુધારા માટે નોટીસ જારી કરી છે.
જાણો સિંધુ જળ સંધી વિશે…
પાકિસ્તાન અને ભારત વચ્ચે છેલ્લા નવ વર્ષથી વાટાઘાટો ચાલી રહી છે. વાચ કરીએ તો ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૦ના રોજ આ સંધી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે વિશ્વ બેંક પણ આ સંધી પર હસ્તાક્ષર કરનાર છે. આ કરાર સિંધુ નદી અને તેની આસપાસની નદીઓમાંથી બંને દેશો વચ્ચે પાણી પુરવઠાનું નિયમન કરે છે. કરારની જોગવાઈન વાત કરીએ તો સતલજ, બિયાસ અને રાવી જેવી પૂર્વીય નદીઓના વાર્ષિક પાણીના વપરાશના આશરે 33 મિલિયન એકર ફીટ (MAF) ભારતને ફાળવવામાં આવ્યા છે. જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબ જેવી પશ્ચિમી નદીઓનું અંદાજીત 135 મિલિયન એકર ફૂટ વાર્ષિક પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યું છે.