ખેડૂતોના પાકને નુકસાન થાય તે રીતે હાઈટેંશન લાઈનનું શરૂ કર્યુ કામ
ખેડૂતને વળતર ચૂકવ્યા વિના જ ખેતરમાં શરૂ કરી દીધુ કામ
સુરતના કોસાડ ભરથાણા વિસ્તારમા જેટકો કંપનીની દાદાગીરી સામે આવી છે. ખેડૂતોના ખેતરમાં હાઈપાવર લાઈન નાખીને જેટકોએ ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કંપનીએ ટાવર ઊભો કરવા માટે કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર જ ખેતરમાં કામ શરૂ કરી દીધું અને ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું છે. જેટકો કંપનીએ શેરડીના ઉભા પાકને નુકસાન થાય તે રીતે ખેતરોમાં કેબલ ટાવરો ઉભા કરી દીધાં છે.
ખેડૂત પાસે હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં કંપનીન તેને ઘોળીને પી ગઈ. અને દાદાગીરી કરી ખેતરમાં ટાવર ઊભા કર્યા. સપ્ટેમ્બર 2020માં હાઈકોર્ટે જેટકોને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. બે ખેડૂતોને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે વળતર આપવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં આજદીન સુધી એક રૂપિયો વળતર ચૂકવાયું નથી.