કોરોના સંકટ વચ્ચે જ્યારે અમેરિકાએ ભારત પાસેથી હાઇડ્રૉક્સીલક્લોરક્વીન દવા (Hydroxychloroquine Medicine) માંગી ત્યારે ભારતે આગળ વધીને તેઓની મદદ કરી અને દવા મોકલી. તેના થોડા દિવસ બાદ વ્હાઉટ હાઉસે સોશિયલ મીડિયા પર PM મોદી સહીત ભારતના 6 ટ્વિટર હેંડલને ફૉલો કરવાનું શરૂ કરી દીધા. પરંતુ હવે થોડા દિવસ બાદ વ્હાઇટ હાઉસે આ બધા ટ્વિટર હેંડલને અનફૉોલો કરી દીધા છે. અમેરિકાના આ વલણ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું PM મોદી અને રાષ્ટ્રપતિને અનફૉલો કરવાથી નિરાશ છું.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું 'હું વ્હાઇટ હાઉસ દ્વારા આપણા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને 'અનફૉલો' કરવાથી નિરાશ છું. હું અપીલ કરુ છું કે વિદેશ મંત્રાલય આ મામલે કંઇ વિચાર કરે.'
I'm dismayed by the "unfollowing" of our President & PM by the White House. I urge the Ministry of External Affairs to take note.
ઉલ્લેખનીય છે કે કોરોના સંકટમાં જ્યારે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે ભારતમાં તૈયાર હાઇડ્રૉક્સીક્લોરક્વીન દવા કોરોનાના દર્દીઓના ઇલાજમાં સક્ષમ છે. ત્યારબાદ દુનિયાભરના દેશોમાં આ દવાની માંગ વધી ગઇ.
આ દવાની માંગણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી અને કરી હતી. ભારતે મદદ કરતાં અમેરિકાને દવા મોકલાવી હતી. એક મળતી જાણકારી મુજબ જે સમયે બંને દેશો વચ્ચે આ દવાને લઇને વાતચીત ચાલી રહી હતી ત્યારે આ સમયે વ્હાઉટ હાઉસના ટ્વિટર હેંડલ કેટલાંક ભારતીયોના ટ્વિટર હેંડલને ફૉલો કર્યાં.
PM મોદી સહિત આ ટ્વિટર હેંડલને કર્યાં અનફૉલો
વ્હાઇટ હાઉસે ભારતના જે ટ્વિટર હેંડલને ફૉલો કર્યાં હતા, તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં અમેરિકન દૂતાવાસ સામેલ છે. આ સાથે ભારતમાં અમેરિકાના રાજદૂત કેન જસ્ટરને પણ ફોલો કર્યા હતા. પરંતુ હવે આ બધા ટ્વિટર હેંડલને વ્હાઉટ હાઉસે એક વખત ફરી અનફૉલો કરી દીધા છે.