તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જીવાદોરી સમાન જોડી એટલે જેઠાલાલ અને દયાબેનની. દયાબેન ગર્ભવતી થયા ત્યારથી તેમણે શૉ છોડ્યો અને હજૂ સુધી તે શૉમાં પરત ફર્યા નથી. વચ્ચે ઘણી અફવાઓ આવી કે દયા બેનને રિપ્લેસ કરવામાં આવશે અથવા દયાબેન શૉમાં પરત ફરશે પરંતુ બંનેમાંથી એક પણ વસ્તુ થઇ નહી. હવે જ્યારે નવા એપિસોડ્સ આવ્યા છે ત્યારે શૉમાં દયાબેનની કમી ખટકે છે. છેલ્લા 3 વર્ષથી દયાબેન શૉમાંથી ગાયબ છે પરંતુ હવે શૉમાં દયાબેન પરત ફરે તેવા એંધાણ છે.
દયાબેન ફરશે શૉમાં પરત
અસિત મોદીએ નથી આપ્યુ નિવેદન
રક્ષાબંધન એપિસોડમાં આવશે નજર
પિંકવિલાની એક રિપોર્ટ પ્રમાણે રક્ષાબંધન સ્પેશિયલ એપિસોડમાં દયાબેન દેખાશે પરંતુ તેવું કંઇ જ ન થયુ અને શૉના મેકર્સે પણ આ વાતને લઇને કોઇ પણ પ્રકારનો ખુલાસો કર્યો નથી. જો આ સમાચાર સત્ય હશે તો એકવાર ફરી દયાબેનના ગરબા ફેન્સને જોવા મળશે.
શૉમાં કામ કરનારી જેનિફરે એવિ હિંટ આપી હતી કે દયા બેન પરત ફરશે. દયાબેનની પ્રાયોરીટી હાલ તેમની દીકરી છે માટે તેમના પર કોઇ પણ પ્રકારનો દબાવ બનાવવો યોગ્ય નથી. એ હાલો.... કહીને ગોકુલધામ સોસાયટીમાં ગરબા રમવા માંડતા દયાબેનને જોયા વગર દર્શકો પણ હતાશ થવા લાગ્યા છે. દયાબેન શૉની હાર્ટબિટ હતા અને હવે જ્યારે તે જ નથી તો ગોકુલધામ સોસાયટીમાં ખાલીપો લાગે છે.
દયાબેનની ગેરહાજરી બાદ શૉમાંથી ગુરુચરણ સિંહ એટલે કે રોશન સિંહ સોઢીએ પણ શૉ છોડી દીધો છે અને અફવાઓ એવી પણ છે કે તારક મહેતાની પત્ની અંજલિ મહેતાનું પાત્ર ભજવનાર નેહા મહેતા પણ શૉને જલ્દી જ અલવિદા કહી શકે છે.