ચીન સાથેના તણાવની વચ્ચે વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે કહ્યું છે કે વાતચીત ચાલી રહી છે. લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા LAC પર સ્થિતિ વિશે પૂછતાં તેઓએ કહ્યું કે કાર્ય પ્રગતિ પર છે. બંને દેશોની વચ્ચે શું વાતચીત ચાલી રહી છે તેના જવાબમાં તેઓએ વિસ્તૃત જાણકારી આપવાની મનાઈ ફરમાવી અને કહ્યું કે ભારત અને ચીનની વચ્ચેની ખાનગી વાત છે.
ચીન સાથેના તણાવની વચ્ચે વિદેશમંત્રી એસ. જયશંકરનું નિવેદન
ભારત-ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે
બંને દેશો વચ્ચેની વાતચીત ખાનગી છે
વિદેશમંત્રીની આ ટિપ્પણી એક કાર્યક્રમ સમયે આવી છે જ્યારે ભારત અને ચીનની વચ્ચે પૂર્વી લદ્દાખમામં વાસ્તવિક નિયંત્રણ રેખા પર જાહેર ગતિરોધની વચ્ચેની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે અત્યારે જે કંઈ પણ ચાલી રહ્યું છે તેને વિશે કોઈ વાત કરવા ઈચ્છતા નથી. વિદેશમંત્રીએ કહ્યું કે આ મારા કામ કરવાનો પહેલો નયિમ છે કે જે કંઈ પણ ચાલી રહ્યું છે તેના માટે પહેલાંથી કંઈ પણ ન કહેવું.
At this moment discussions are going on. What is going on obviously is confidential between us and the Chinese. We will wait to see how this plays out: External Affairs Minister S Jaishankar at an event (file pic) pic.twitter.com/uUH0mLL4LL
આ પહેલાં વિદેશ મંત્રાલયે લદ્દાખને લઈને ચીનની ટિપ્પણીને લઈને કડક પ્રતિક્રિયા આપતાં રહ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ દેશના અભિન્ન ભાગ રહ્યા છે અને રહેશે પણ. ચીનને ભારતની આંતરિક બાબતોમાં ટિપ્પણી કરવાનો કોઈ હક નથી. વિદેશ મંત્રાલયની આ પ્રતિક્રિયા ચીનની એ ટિપ્પણી બાદ આવી છે જેમાં તેઓએ કહ્યું છે કે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને માન્યતા નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે અમને આશા છે કે કોઈ પણ દેશ ભારત તેના આંતરિક કેસમાં કોઈ પણ ટિપ્પણી નહી કરે. જમ્મૂ કાશ્મીર અને લદ્દાખની સાથે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. અમારો હેતુ અનેક વાર સ્પષ્ટ થઈ ચૂક્યો છે. ચીન પક્ષને સર્વોચ્ચ સ્તરે અનેક વાર સ્પષ્ટ રીતે આ વાત કહેવાઈ છે.