ભારતીય વૈજ્ઞાનિકોએ પ્રયાગરાજમાં સંગમની નીચે એક પ્રાચીન નદીને શોધી કાઢી છે. જેના માટે હેલિકોપ્ટરથી ઈલેક્ટ્રોમેગ્નેટિક સર્વે કરવામાં આવ્યો. જેમાં આ વાતના નક્કર પુરાવા મળ્યાં છે, સંગમની નીચે 45 કિલોમીટર લાંબી પ્રાચીન નદી છે. અહીં પાણીનો મોટો ખજાનો પણ શક્ય છે. એટલેકે સંગમમાં મળેલી ગંગા અને યમુના તળેટીની નીચે જમીનની અંદર એક પ્રાચીન નદી વહી રહી છે. એવુ મનાઈ રહ્યું છે કે તેનો સંબંધ હિમાલય સાથે છે. એટલેકે સંગમમાં મળતી ત્રીજી નદી સરસ્વતી હોઈ શકે છે.
ભારતીય વૈજ્ઞાનિકોએ બે નદીઓના સંગમની નીચે એક પ્રાચીન નદીને શોધી કાઢી
વૈજ્ઞાનિકોએ હેલિકોપ્ટર દ્વારા ઈલેક્ટ્રોમેગ્નેટિક સર્વે કર્યો, નક્કર પુરાવા મળ્યાં
ગંગા અને યમુનાની વચ્ચે તળેટીની નીચે જમીનની અંદર આ પ્રાચીન નદી મળવાથી એવી માન્યતાને બળ મળે છે કે સંગમમાં ત્રણ નદીઓનું મિલન થાય છે. ગંગા, યમુના અને સરસ્વતી. જોકે, સરસ્વતી નદી જોવા મળતી નથી. વૈજ્ઞાનિક રીતે આ નદી સુકાઈ ગઇ છે. પરંતુ આ રીતે નદીના પ્રવાહની નીચે એક જૂની નદીનું મિલન હેરાન કરનારી વાત છે. આ અભ્યાસ CSIR-NGRI ના વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કર્યો છે. જેનો અભ્યાસ હાલમાં એડવાન્સ અર્થ એન્ડ સ્પેસ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.
હવે મુદ્દો ઉઠે છે કેઆખરે નદી શોધવાની જરૂર કેમ પડી?
હકીકતમાં વિશ્વભરની નદીઓની પાણીનું સ્તર નીચે જઇ રહ્યું છે. આ સ્થિતિ ગંગાના તટ પ્રદેશની છે. જેની નીચે ઘણાં સ્તરોમાં એક્વીફર સિસ્ટમ છે, જે મોટા પાયે ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં રહેલા લોકોને પાણી અને કૃષિ જરૂરીયાતનો પૂર્ણ કરે છે. પરંતુ છેલ્લાં કેટલાંક દાયકાથી ગંગા નદીની ઉપર પણ ભારે વપરાશનું દબાણ છે. પાણીનું સ્તર ઓછું થઇ રહ્યું છે. ઉપરથી નહીં નીચેની એક્વીફર સિસ્ટમનું. જેની અસર પર્યાવરણ, આર્થિક અને આરોગ્ય સંબંધી વિષયો પર પડી રહી છે.
વૈજ્ઞાનિકોએ સર્વે કરવાનું વિચાર્યુ
આ જાણવા માટે શું ગંગા અને યમુનાના દોઆબ વિસ્તારમાં આ સમસ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાત સાચી છે. આ વિસ્તારમાં નદીઓ પર વપરાશનું દબાણ ખૂબ વધારે છે. ત્યારબાદ CSIR-NGRI ના વૈજ્ઞાનિકોએ ગંગા-યમુના દોઆબના થ્રીડી મેપિંગ કરવા માટે ઈલેક્ટ્રોમેગ્નેટિક સર્વે કરવાનું વિચાર્યું.