રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સંગઠનોએ આ પ્રોગ્રામ ઉપરાંત મોંઘવારી અને તાલિબાનની સાથે નવી દિલ્હીમાં ઔપચારિક મુલાકાતને લઈને ભારતીય મજૂર સંઘ(બીએમએસ)એ નારાજગી વ્યક્ત કરી છે. એટલુ જ નહીં BMSએ નેશનલ એક્ઝિક્યૂટિવે પહેલા જ મોંઘવારી વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો હતો અને સરકારને તાત્કાલિક તેને રોકવા માટે માંગ કરી હતી.
મોંઘવારી પર કોઈ નિયંત્રણ નથી -BMS
દેશના સૌથી મોટા મજૂર સંગઠનોમાં એક BMSના મહાસચિવ બિનય કુમાર સિંન્હાએ કહ્યું કે કોરોના બાદ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. નોકરિઓમાં છંટણી અને વેતનમાં કાપથી સૌથી વધારે મજૂર પ્રભાવિત થયા છે અને મોંઘવારી પર કોઈ નિયંત્રણ નથી.
કેન્દ્ર સરકારના આ પગલાથી અસંતુષ્ટ અને નાખુશ BMSએ 9 સપ્ટેમ્બરે મોંઘવારીની વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યુ છે. BMSએ એ માંગ કરી છે કે સરકારને સામાનના સ્તર પર ઉત્પાદન ખર્ચ આપવાની પણ જોગવાઈ કરવી જોઈએ જેથી લોકોને એ ખબર પડે કે કંપનીઓ કેટલો ફાયદો કમાઈ રહી છે.
સિન્હાએ કહ્યું કે BMS 2 નવેમ્બરે નેશનલ મોનેટાઈઝેશન પ્રોગ્રામની વિરુદ્ધ દેશવ્યાપી પ્રદર્શન કરવાનું એલાન કર્યુ છે તો બીજી તરફ આરએસએસ સાથે જોડાયેલા સંગઠન સ્વદેશી જાગરણ મંચના કેન્દ્ર સરકારના આ પ્રોગ્રામની સમીક્ષા કરી છે. સ્વદેશી જાગરણ મંચના સરકારી સંપત્તિને ખાનગી હાથમાં લઈ જતા ચેતવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને નાણા મંત્રી નિર્મલા સીતારમણે 6 લાખ કરોડ રુપિયાની રાષ્ટ્રીય ખાનગીકરણ યોજના એટલે કે એનએમપીની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 2022થી 2025ની વચ્ચે રેલ, રોડ અને વીજળી જેવી પાયાની જરુરિયાતોનું ખાનગીકરણ કરવામાં આવશે.