કોરોના વાયરસ કાળમાં ભારતમાં દિવસેને દિવસે કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તો એક જ દિવસમાં વિશ્વમાં સૌથી વધારે કેસ હવે ભારતમાં જ સામે આવી રહ્યા છે. એવામાં લોકડાઉન હોય કે અનલોક દેશના વૃદ્ધોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં દેશના સીનીયર સીટીઝનને ધ્યાનમાં રાખીને સર્વોચ અદાલતે આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવા વરિષ્ઠ નાગરિકોની સારસંભાળ રાખવાનો આદેશ કર્યો છે જે કોરોના વાયરસ સામે એકલા લડી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ અશોક ભૂષણની આગેવાનીમાં બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું સામાજિક ન્યાયતતંત્ર સુનિશ્ચિત કરે કે જે વૃદ્ધો છે તેમને માસ્ક અને સેનેટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સીનીયર સિટીઝન જે કોરોના કાળમાં એકલા લડી રહ્યા છે તેમને સમય પર સહાયત મળવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીનીયર સીટીઝન કોઈ મદદ માંગે તો તરત મળવી જોઈએ. સરકારની આ જવાબદારી છે કે તે તે વૃદ્ધોની સારસંભાળ રાખે. તે લોકો એકલા રહે છે તે બધાને જરૂરી સરસામાન ઉપલબ્ધ કરાવી આપવાની જવાબદારી સરકારની છે.
અદાલતે વધુમાં કહ્યું કે રાજ્યો આ વાત સુનિશ્ચિત કરે કે જ્યારે પણ કોઈ સીનીયર સીટીઝન કોઈ સહાયતા માંગે છે તો તરત જ તેમને ઉપલબ્ધ થઇ શકે. આ સિવાય કેન્દ્ર સરકારને કહેવામાં આવ્યું કે કોરોના વાયરસના સમયમાં વૃદ્ધોને તમામ સુરક્ષા આપે. ઓલ્ડ એજ હોમમાં માસ્ક, સેનેટાઈઝર અને PPE કિટ ઉપલબ્ધ કરાવવામાં આવે. નોંધનીય છે કે સર્વોચ્ચ અદાલતમાં અશ્વિની કુમારે અરજી દાખલ કરી હતી અને તેના પર જ અદાલતે આદેશ આપ્યો છે.