જામનગરમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભૂકંપ જેવી કુદરતી આફતમાં તેમજ માનવ સર્જીત આફતો આતંકવાદી હુમલો વિગેરેમાં કરવામાં આવતી બચાવ અને રાહત કામગીરીની મોટાપાયે કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયત દરમિયાન હોસ્પિટલના દર્દીઓ સ્કૂલના બાળકો કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત કેમીકલ પાઇપલાઇન લીકેજથી અસર પામેલ લોકોને તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલ પહોચાડવા આવેલ.
આ સાથે ભૂકંપગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં લશ્કરી અને અર્ધલશ્કરી દળના કર્મચારીઓ ઉપરાંત એન.ડી.આર.એફ.ની ટીમ તેમજ ફાયર બ્રિગેડ 108 તથા હોસ્પિટલના કર્મચારીઓ જોડાયા હતાં. સમગ્ર કવાયતનું સંચાલન જિલ્લા કલેકટર રવિશંકરે સંભાળ્યું હતું. ત્રણ કલાક ચાલેલી આ મેગા કવાયત બાદ કલેકટર તથા તંત્રએ આ મેગા કવાયત સફળ રહ્યાનો દાવો કર્યો હતો.