વડોદરા મહાનગરપાલિકા એ બનવેલા બીએસયુપીના કલાલીખાતેના 1088 મકાનો બે વર્ષમાં જ જર્જરિત થઇ ગયા છે. અહીંના મકાનોની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. ત્યારે અહીં વસતા 1088 પરિવારો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
વડોદરા મહાનગરપાલિકએ ગરીબોના ઝુંપડાઓ તોડીને નુર્મ આવાસ યોજના બનવી હતી જેમાં વડોદરાના કલાલી ખાતે 1088 મકાનો બનવવામાં આવ્યા છે. આ મકાનો બે વર્ષ પહેલા ગરીબોને ફાળવવામાં આવ્યા છે પરંતુ અહીં રહેતા ગરીબો નવા મકાનમાં પણ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
અહીં બનેલા આ મકાનોમાં માત્ર બે વર્ષમાં જ તમામ મકાનોની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. અહીં રહેતા લોકો પાણીથી બચવા માટે સતત વાસણો મૂકીને જીવન ગુજારી રહ્યા છે. સરકરે આપેલા પોતાના મકાનમાં શાંતિથી જીવીશું તેવી આશા હતી. જોકે આ ટપકતી છત નિચે રહેતા લોકો સતત ભયમાં જીવી રહ્યા છે.
આ યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી અને મહાનગરપાલિકાએએ ચેતન વ્યાસ એન્ડ એસોશિયેટસને 31 કરોડ 9 લાખ 33 હજારમાં કામ આપવામાં આવ્યું હતું. આ મકાનો બનાવ્યા ત્યારે ટીપીઆઈ કંપનીએ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કર્યું હતું અને કામગીરી સારી કરી હોવાનુ સર્ટી પણ આપવામાં આવ્યું હતું.
જોકે આંક મકાનો 2 વર્ષમાં જ જર્જરિત થઇ ગયા છે અને તમામ મકાનોની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. વારંવાર મહાનગરપાલિકામાં રજૂઆત છતાં આજે કોઈ જ વાત સાંભળવામાં આવતી નથી. આજે આ ગરીબો એક ઓફિસથી બીજી ઓફિસમાં રજૂઆત માટે દોડી રહ્યાં છે પણ કોઈજ જવાબ મળતો નથી.
આતો થઇ વડોદરાના કલાલીમાં આવેલા મકાનોની વાત પણ આવી યોજના વડોદરાના ચારેય ઝોનમાં અમલી બનવવામાં આવી છે અને માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામા મકાનો જર્જરિત હતી થઇ ગયા છે. ત્યારે વડોદરામાં કોન્ટ્રકટરો અને અધિકારીઓની મીલીભગતના કારણે આવાસ યોજાનામાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી છે અને ટેન્ડરની સરતો પ્રમાણેનું મટીરીયલ વાપરવામાં આવ્યું નથી જેના કારણે થોડા વર્ષોમાં જ ઇમારતો જર્જરિત થઇ ગઈ છે.
ત્યારે સરકારી આવાસ યોજનાની ગુણવત્તા માટે કોમન નિયમ બનવવામાં આવે અને કોઈ એક ચોક્કસ પોલીસી મહાનગરપાલિકા દ્વારા બનવવા માં આવે છે. આવાસ યોજનામાં ભ્રષ્ટ્રાચાર કરતા તત્વોને યોગ્ય સજા કરવામાં આવે ટવેવઈ માંગ કોંગ્રેશના કોર્પોરેટર ચીરાગ ઝવેરીએ કરી છે.
વડોદરામાં આજથી 10 વર્ષ પહેલાં માધવનગરની દુર્ઘટના બની હતી. જેમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે ઘટનાથી પણ વડોદરા મહાનગરપાલિકાએ શીખ લીધી નથી અને આજે પણ વડોદરામાં બનેલા મકાનો બે વર્ષમાં જ જર્જરિત થઇ ગયા છે.
ત્યારે ગરીબો જીવન જોખમે જીવવા મજબુર છે અને હાલાકી ગુણવત્તાનું કામ કરીને કરોડો કમાઈને ચાલતી પકડાતા કોન્ટ્રક્ટરો બિન્દાસ્ત ફરી રહ્યાં છે. આ આખા મામલમાં કોન્ટ્રક્ટરો અને અધિકારીઓની મિલી ભગતના કારણે મોટું કૌભાંડ કરવામાં આવી રહયું છે.