પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કશ્મીરનો મુદ્દો વિશ્વના અનેક દેશ સમક્ષ ઉઠાવ્યો પરંતુ કોઇપણ દેશથી પાકિસ્તાનને સમર્થન ન મળ્યું. અલગ અલગ મંચમાં પણ નિષ્ફળતા મળ્યા બાદ હવે ઈમરાન ખાન હાર માની ચૂક્યા છે.
આંતરરાષ્ટ્રીય સમુદાયથી નિરાશ થયોઃ ઇમરાન ખાન
કાશ્મીર મુદ્દા પર દુનિયાને સમજાવવામાં વિફળ રહ્યાં
ઇમરાન ખાને સ્વીકરાયું, કોઇ દેશોએ ન કર્યું સમર્થન
ઈમરાન ખાને સ્વીકારી લીધું કે હવે પાકિસ્તાન કશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવામાં નિષ્ફળ રહ્યું છે. કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઈમરાન ખાને ભારત વિરુદ્ધ વિશ્વના દેશને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમાં હાર મળ્યા બાદ હવે ઈમરાન ખાને કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય સમુદાયથી નારાજ છે. ઈમરાન ખાને કહ્યું કે યુરોપીયન, યહૂદી કે 8 અમેરિકીઓને ઘેરાબંધીમાં રાખ્યા હોત ત્યારે પણ આવી જ પ્રતિક્રિયા હોત.
Disappointed with international community: Imran Khan admits failing to rake up Kashmir issue
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું કે કાશ્મીરમાંથી કર્ફયુ હટશે ત્યાર બાદ અલ્લાહ જાણે ત્યાં શું થશે. તમને શું લાગે છે કાશ્મીરના લોકો શાંતિથી સ્વીકાર કરી લેશે. આ વાત ઇમરાન ખાને પાકિસ્તાની પત્રકારોને જણાવી. આ દરમિયાન તેની સાથે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી પણ ઉપસ્થિત હતા.
પીએમ નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન અમેરિકામાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન હાલ બંને UNGA માટે ન્યૂયોર્કમાં છે. બંને નેતાઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠક કરી. ટ્રમ્પે ફરી બંને દેશ વચ્ચે મધ્યસ્થતાને લઇને જણાવ્યું કે બંને દેશની તૈયારી હશે તો જ તેઓ મધ્યસ્થતા કરશે.