પ્રોફેશનલ લાઇફમાં મોજા પહેરવા આપણી દિનચર્યાનો ભાગ છે. શિયાળામાં તો લગભગ દરેક વ્યક્તિ મોજા પહેરે છે, પરંતુ કેટલીક વ્યક્તિઓ ઉનાળામાં પણ મોજા પહેરતી હોય છે.
ક્યારેક કોઇ વ્યક્તિ 24 કલાક પણ મોજા પહેરી રાખે છે. મોજા પહેરવાથી પગ સારા રહે છે. મોજા પહેરવાથી સુર્યપ્રકાશમાં પગ બળી પણ જતા નથી. જોકે ક્યારેક મોજા કાઢીને પગને કુદરતી હવા પણ લેવા દેવી જોઇએ. પગને શ્વાસ લેવાનો સમય પણ આપવો જોઇએ. મોજા પહેરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે મોજા વધુ પડતા ફિટ ન હોય. મોજા પહેરવાના ફાયદા આપણે અત્યાર સુધી જોયા છે, પરંતુ તેના નુકશાન પણ હોઇ શકે છે.
વધુ ટાઇટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજો આવી શકે છે. સાથે સાથે લોહીનું પરિભ્રમણ તીવ્ર થવાથી બેચેની પણ થઇ શકે છે અને શરીરમાં અચાનક વધુ ગરમી લાગવા જેવી સમસ્યા પણ થઇ શકે છે.
જો તમે લાંબા સમય સુધી મોજા પહેરીને રાખો તો પગ અકડાઇ શકે છે અને એડી તેમજ પંજાવાળો ભાગ સુન્ન થઇ જાય તેમ પણ બની શકે છે.
પગમાં પરસેવો થવાથી ફંગલ ઇંફેક્શન જેવી સમસ્યા પણ થઇ શકે છે. આ કારણે પગની સ્કીન સારી રહેવાના બદલે ખરાબ થાય તેવું પણ બની શકે છે.
ટાઇટ મોજા પહેરવાથી પગ પર નિશાન બની જાય છે અને ખંજવાળ તેમજ જલનની સમસ્યા પણ થઇ શકે છે.
ઘણીવાર મોજા પહેરવાના કારણે વેરિકોઝ વેન્સની સમસ્યાનો શિકાર પણ બની જવાય છે. એટલુ જ નહીં જો તમને પહેલેથી જ આ સમસ્યા હોય તો સ્થિતિ વધુ બગડી શકે છે.
સસ્તી કિંમતના કે કોટન ન હોય તેવા મોજા પહેરવામાં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. જે મોજા પરસેવો શોષી ન શકે તે પહેરવાથી પગમાં નુકશાન થવાની શક્યતાઓ વધી જાય છે.