હાલના સમયમાં લોહીના ગઠ્ઠા જામી જવાના ઘણાં કિસ્સા સામે આવી રહ્યાં છે. તેનું એક કારણ શરીરમાં રહેલું લોહી જાડું થઈ જવું પણ છે. જે એક ગંભીર રૂપ લઈ શકે છે. ચાલો જાણી લોહીને પાતળું રાખવાના ઉપાય.
કોરોના સંકટમાં લોહી જાડું થવાની સમસ્યા વધી રહી છે
કેટલાક લક્ષણો સમજીને તરત જ ધ્યાન આપવું જરૂરી છે
ઘરેલૂ ઉપાયોથી લોહીને નેચરલી પાતળું રાખી શકાય છે
શરીરને સ્વસ્થ રાખવા માટે લોહી પાતળું રહેવું જરૂરી છે. જો લોહી જાડું થવા લાગે અને ગઠ્ઠા થવા લાગે તો તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે. શરીરને અંદરથી હેલ્ધી રાખવા માટે લોહી પાતળું હોવું જોઈએ. આજે અમે તમને કેટલીક ધ્યાન આપવા જેવી બાબતો જણાવીશું.
બાયોલોજિકલ ભાષામાં લોહીને પ્લાઝ્મા પણ કહેવામાં આવે છે. પ્લાઝ્મા એ હળવા પીળા રંગનનો પ્રવાહી છે જેમાં મોટાભાગે પાણી, પ્રોટીન, મેગ્નેશિયમ, કાર્બનડાયોક્સાઇડ, યુરિક એસિડ, નાઇટ્રોજન અને ઓક્સિજન હોય છે. એટલે કે, આપણું લોહી પ્લાઝ્મા, લાલ રક્તકણો, સફેદ રક્તકણો અને પ્લેટલેટ્સથી બનેલું છે.
આપણા લોહીમાં રક્તકણો હાજર છે જેમાંથી ઓક્સિજનની ક્રિયા થાય છે. શરીરમાં હાજર શ્વેત રક્તકણોનું મુખ્ય કાર્ય શરીરને રોગોથી બચાવવા માટે છે. તે ઈમ્યૂનિટીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બ્લડ ક્લોટથી થતાં નુકસાન
લોહીના ગઠ્ઠા
હૃદય રોગ સમસ્યાઓ
આંખોમાં ઝાંખપ
ચક્કર આવવા
પીરિયડ્સ દરમિયાન ભારે રક્તસ્રાવ
સંધિવા
માથાનો દુખાવો
હાઈ બ્લડ પ્રેશર
સ્કિનમાં ખુજલી
કોલેસ્ટ્રોલ
લોહીને પાતળું કરવાના ઉપાય
ઘણા લોકો જાડા લોહીને પાતળું કરવા માટે દવાઓ પણ લે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને પણ આ કરી શકો છો કારણ કે, દવાઓ સિવાય, કેટલાક ખાદ્ય પદાર્થો અને ઘરેલૂ ઉપાય પણ લોહી ગંઠાઈ જવાના જોખમને ઘટાડવા માટે અસરકારક છે. આ માટે તમારે તમારા આહાર પર ધ્યાન આપવું પડશે.
ફાઈબરવાળો ખોરાક લો
જો તમે તમારા આહારમાં ફાઇબરથી ભરપૂર ખોરાક સામેલ કરો છો તો લોહી પાતળું થશે. લોહીને શુદ્ધ કરવા માટે ફાઈબરથી રિચ આહાર લેવું જરૂરી છે. આને કારણે પાચનની શક્તિ સારી રહે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રહે છે. તમારા આહારમાં બ્રાઉન રાઇસ, ગાજર, બ્રોકોલી, મૂળા, સલગમ, સફરજન અને તેનો રસ સામેલ કરો.
કસરત
લાંબા સમય સુધી બેસવું કે કોઈ પ્રવૃત્તિ ન કરવાથી પણ લોહી ઘટ્ટ થાય છે. જો શરીરમાં રક્તનું યોગ્ય પરિભ્રમણ હોય તો તે ઘટ્ટ થતું નથી. હેલ્ધી બ્લડ બનાવવા માટે, તમારે દરરોજ 30થી 45 મિનિટની કસરત કરવી જોઈએ. તમે યોગ દ્વારા લોહીની ગુણવત્તામાં પણ સુધારો કરી શકો છો.
માછલીનું તેલ
ફિશ ઓઈલમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ, ઇપીએ અને ડીએચએ હોય છે, જે લોહીને પાતળું કરવામાં મદદગાર છે. તમારા આહારમાં ફિશ ઓઇલનો સમાવેશ કરો. ડોક્ટરો પણ ફિશ ઓઇલ કેપ્સ્યુલ્સ લેવાની સલાહ આપે છે.
ઊંડા શ્વાસ લો
સવારના સમયે શુદ્ધ ઓક્સિજન સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. ઊંડા શ્વાસને લીધે ઓક્સિજન ફેફસામાં જાય છે, જેના કારણે રક્ત પરિભ્રમણ બરાબર રહે છે.
હળદર
હળદરમાં એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ તત્વો હોય છે જે શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે. આ સિવાય તેમાં ઘણાં પ્રોટીન, ફાઈબર, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક મળી આવે છે. ઓષધીય ગુણોથી ભરપૂર હળદર લોહીના ગંઠાઈ જવાથી બચાવવા માટે પણ અસરકારક છે. તમે હળદરના દૂધનું પણ સેવન કરી શકો છો.