નિષ્ણાંતો ભાત અને રોટલી સાથે સાથે ન ખાવાની સલાહ આપી રહ્યાં છે કારણ કે બન્નેમાં અલગ અલગ ગૂણધર્મો હોવાથી સાથે ખાવાથી તે બીમારી નોતરી શકે છે.
ભાત અને રોટલી સાથે સાથે ખાવી અયોગ્ય
બન્નેમાં અલગ અલગ ગૂણધર્મો
સાથે ખાવાથી થાય છે ઘણી બીમારીઓ
ગુજરાતીઓને બપોરે દાળ-ભાત, શાક-રોટલી ખાવાનું ઘેલું છે. આ ભોજન ખાવું જ પડે તેવી આદત છે. પરંતુ હવે એવું સામે આવ્યું છે કે ભાત અને રોટલી સાથે સાથે ખાવી હેલ્થ માટે સારી વાત નથી. નિષ્ણાંતોએ આ અંગે ચેતવણી આપી છે.
રોટલી-ભાતથી આંતરડામાં આથો બને છે
હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે બ્રેડ અને ચોખામાં અલગ-અલગ ન્યૂટ્રિશનલ ગુણ જોવા મળે છે, તેથી એક સાથે તેનું સેવન સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી માનવામાં આવતું. બંને અનાજ આંતરડામાં આથો લાવે છે અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ખૂબ ઊંચો હોવાથી ભાત અને રોટલીનું એકસાથે સેવન ટાળવું જોઈએ.
અપચો અને બળતરાની સમસ્યા થઈ શકે
ભાત અને રોટલી બંનેમાં ઘણા બધા કાર્બોહાઈડ્રેટ હોય છે. તેને એક સાથે ખાવાથી શરીરમાં સ્ટાર્ચનું શોષણ થાય છે. જો તમે આ બંને અનાજને એકસાથે ખાશો તો તમને અપચો તો થશે જ, સાથે સાથે બળતરાની સમસ્યાનો પણ સામનો કરવો પડશે. નિષ્ણાતોનું એમ પણ કહેવું છે કે બ્રેડ અને ચોખાને સાથે ખાવાથી બંનેમાં રહેલા પોષકતત્વો વચ્ચે સંઘર્ષ થાય છે, જે તેમના શોષણમાં અવરોધ ઊભો કરે છે.
કાં ભાત કાં રોટલી, એક સમયે એક જ જમો
રોટલી અને ભાત બંને એક સાથે ખાતા હોવ તો અત્યારથી બંધ કરવાની જરુર છે. એક સમયે એક જ વસ્તુ ખાવાનો પ્રયત્ન કરો. ભાત ખાતા હો તો રોટલી ન ખાવી અને રોટલી ખાતા હો તો ભાત ન ખાવા. જો તમને બંને વસ્તુઓ ખાવી ગમતી હોય, તો પછી વચ્ચે થોડો સમય જવા દો પછી જમો તો વાંધો નહીં. બન્નેને ખાવામાં સમયની ગેપ રાખવાથી તમને ભરપૂર એનર્જી મળશે.