દૂધ અને તેમાંથી બનનારી પ્રોડક્ટ આપણા શરીર માટે ફાયદાકારક છે અને નુકસાનકારક પણ છે. તો જાણી લો દુધના ગેરફાયદા.
વધારે દૂધ પીવાથી થાય નુકસાન
કેન્સર થવાનો ખતરો પણ રહે
3 ગ્લાસથી વધારે દૂધ ન પીવું જોઇએ
દુધ સમતોલ આહાર
દુધને આપણે સમતોલ આહાર માનીએ છીએ અને આપણો દિવસ દુધ વગર પુરો જ ન થાય. દુધમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન ડી જેવા શ્રેષ્ઠ તત્વો હોય છે પરંતુ કેટલીક સ્ટડી અનુસાર માણસના શરીર પર દુધની ખરાબ અસર પણ પડે છે.
પિમ્પલ થઇ શકે
અત્યાર સુધી આ વાતને લઇને જેટલી પણ સ્ટડી થઇ છે તે પ્રમાણે દુધ અને ડેરી પ્રોડક્ટ્સથી એક્ને અને પિમ્પલ વધે છે. દુધમાં રહેલું પ્રાકૃતિક ગ્રોથ હોર્મોન પિમ્પલ વધારવાનું કામ કરે છે. દુધ અને તેની બનાવટોને ખાદ્ય પદાર્થો સાથે લેવાથી ઇંસુલિન લેવલ વધી જાય છે.
એલર્જી
એક્સપર્ટ્સનું માનીએ તો 5થી 10 ટકા બાળકોને દુધથી એલર્જી હોય છે. જેના કારણે કોલિક એટલે કે પેટમાં દુખવું, કબજીયાત અને ડાયેરિયા જેવી બિમારી થઇ શકે છે.
બોન ફ્રેક્ચર
એક અન્ય સ્ટડીનું માનીએ તો રોજ 3 ગ્લાસ કે તેનાથી વધારે દુધ પીનારા વ્યક્તિઓને હાડકાનું ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ
કેન્સરનો ખતરો
વર્ષ 2007માં અમેરિકન ઇન્સ્ટિટ્યુટ ફોર કેન્સરના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દુધ કે જેમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે તેનાથી પ્રોસ્ટેટનો ખતરો વધી જાય છે. તે સિવાય દુધમાં એક લેક્ટોઝ નામનું શુગર હોય છે જેના કારણે મહિલાઓને ઓવેરિયન કેન્સરનું જોખમ વધી જાય છે.
લેક્ટોઝ ઇન્ટોલરન્સ
ગાયના દુધમાં રહેલ લેક્ટોઝને પચાવવું કેટલાક લોકો માટે ખુબ મુશ્કેલ હોય છે. જેના કારણે બેચેની રહે, પેટમાં ગેસ થાય અને ડાયેરિયાની સમસ્યા પણ થાય છે.
હ્રદય રોગનો ખતરો
ઓક્ટોબર 2014માં પ્રકાશિત થયેલી સ્ટડી અનુસાર વધારે માત્રામાં દુધ પીવાથી મહિલાઓ અને પુરુષો બંનેને હ્રદય રોગ થવાના ચાન્સીસ રહે છે. સ્ટડી અનુસાર રોજ 3 ગ્લાસ કે તેનાથી વધારે દુધ પીવાથી હ્રદયરોગનો હુમલો આવે છે.
જે લોકોને હ્રદયની સમસ્યા છે કે જે વજન કંટ્રોલ કરવા માંગે છે તે લોકોએ દુધનું સેવન ન કરવું જોઇએ. વધારે દુધ પીવું પણ હેલ્થ માટે નુકસાનકારક છે.