- સુધીર એસ. રાવલ
ગુજરાત માગદર્શક બન્યાના અનેક કિસ્સાઓ ભારતીય ઇતિહાસનાં પાનાઓમાં કંડારાયેલા છે. તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં અને તેના પરિણામો આવા જ એક વધુ પ્રકરણના ઉમેરા સમાન છે. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઇ ત્યારથી જ તેના અનોખા 'રૂપ-રંગ' અને નવા-નવા ચીલાઓ ચાતરતો ઘટનાક્રમ દિવસે દિવસે રોમાંચક ઉત્તેજક વ્યૂહાત્મક અને ખંડનાત્મક પણ સાબિત થતો જતો હતો. એક તરફ ભારતીય જનતા પક્ષ હતો જે યેન કેન પ્રકારે કોગ્રેસનાં અધિકારીની બેઠક છીનવી લઇને તેના મહત્વનાં સેનાપતિ કહી શકાય તેવા અહેમદ પટેલને હરાવવા એડી-ચોટીનું જોર લગાવી રાહ્યો હતો.ત્યારેબીજી તરફ કોંગ્રેસ પક્ષ હતો જે સત્તાનાં જોરે વિપક્ષોને નેસ્તનાબૂદ કરવા સતત આગળ વધી રહ્યો ભાજપનાં સ્ટીમ રોલરની ગતિને બ્રેક લગાવવા અને પોતાનું અસ્તિત્વ ટકાવવા મરણીયો બન્યો હતો.
ખૂબ ખેલ ખેલાયા. સામ દામ દંડ ભેદનું રાજરાકણ ખેલાયું જેમાં મૂલ્યો અને આદર્શાનાં ધજીયાં ઉડયાં. નીતિ માર્ગની ઐસી તેસી અને સ્વચ્છ જાહેરજીવનની વાતો પણ ત્યજી દેવાઇ. આચરણમાં તો યુધ્ધ પ્રેમ અને ચૂંટણીમાં બધુ ચાલે તે જ મંત્ર.
તંદુરસ્ત લોકશાહીમાં વિપક્ષનું પણ અદકરૂ મહત્વ છે. કોંગ્રેસ દાયકાઓથી ગુજરાતમાં નામશેષ થતી રહી છે. ભાજપનાં થયા કરે. સમસ્યાઓ તો રહ્યા કરે એક બાજૂ નિરંકૂશ સત્તા તંત્ર અને બીજી બાજુ મહાકાય પ્રચારતંત્ર.આમા પ્રજાનાં અવાજની પીપુડી કયાં વાગે?!
પણ ગુજરાતનાં અને લોકશાહીનાં સદનસીબે તોડફોડના રાજકારણને બ્રેક લાગી ગઇ છે. કટોકટીભરી અગ્નિ પરીક્ષામાંથી પસાર થઇને કોંગ્રેસના અહેમદ પટેલ પોતાના અધિકારની બેઠક જીત્યા.ચૂંટણી પંચને તેના નિષ્પક્ષ નિર્ભિક અને બંધારણને પ્રતિબદ્ધ વલણ અને કાર્ય માટે શાબાશી.
કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલની સતર્કતા ગુજરાત કોંગ્રેસની સ્પિરિટ અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની એક જુથ્થ થઇ લડતે ઇતિહાસના નવા અધ્યયનની શરૂઆત કરવામાં આવી છે.સમગ્ર ઘટનાક્રમમાંથી ભાજપ અને કોંગ્રેસ બન્નેએ બોધ પાઠ લેવાનો છે. નાગરિકોએ વિચારવાનું છે અને તમામ રાજકીય પક્ષોએ લોકકલ્યાણનાં સેવાયજ્ઞમાં કુટિલતાની બોલબાલાથી બચવાનું છે.
ગુજરાતની ઘટના નાની હોવા છતાં તે અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી પરિણામો આપનારી છે. તે નિ:શંક છે.
સુધીર એસ. રાવલ રાજકીય વિશ્લેશક અને VTVના કન્સલ્ટિંગ એડિટર પણ છે.