અમિતાભ બચ્ચની સુપરહિટ ફિલ્મ 'અંધા કાનૂન' અને હિન્દી સિનેમાના ખ્યાતનામ બાયોપિક 'નાચે મયૂરી' બનાવનારા નિર્દેશક ટી રામા રાવનું ચેન્નાઈમાં નિધન થઈ ગયું છે.
બોલિવૂડમાંથી આવ્યા માઠા સમાચાર
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ટી રામારાવનું નિધન
ચેન્નઈમાં થશે અંતિમ સંસ્કાર
અમિતાભ બચ્ચની સુપરહિટ ફિલ્મ 'અંધા કાનૂન' અને હિન્દી સિનેમાના ખ્યાતનામ બાયોપિક 'નાચે મયૂરી' બનાવનારા નિર્દેશક ટી રામા રાવનું ચેન્નાઈમાં નિધન થઈ ગયું છે. 84 વર્ષની ઉંમરમાં ટી રામા રાવે અંતિમ શ્વાસ લીધા છે. તેમને ઉંમર સંબંધિત અનેક બિમારીઓ હતી અને હાલમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. બુધવારે હોસ્પિટલમાં જ તેમનું નિધન થઈ ગયું. તેમના પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ટી રામા રાવના નિધનની જાણકારી આપી છે. ટી રામા રાવના અંતિમ સંસ્તાર બુધવારે સાંજે ચેન્નઈમાં થશે.
Deeply saddened to know about the demise of veteran filmmaker & a dear friend Shri #TRamaRao ji. I had the privilege of working with him in #AakhriRaasta and #Sansaar!! He was compassionate, commanding & had a great sense of humour. My condolences to his family! Om Shanti! 🙏♿️ pic.twitter.com/k66KwN8ymT
ટી રામા રાવ હિંદી અને તેલુગૂ સિનેમાનું જાણીતું નામ હતા. તેમણે વર્ષ 1966થી લઈને 2000 સુધી કેટલીય સુપરહિટ ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે. તેમની અન્ય લોકપ્રિય તેલુગૂ ફિલ્મોમાં જીવન તરંગલ, અનુરાગ દેવતા અને પચાની કપૂરમ સામેલ છે, તો વળી હિન્દીની વાત કરીએ તો, અમિતાભ બચ્ચા સ્ટારર અંધા કાનૂન, એક હી ભૂલ, મુઝે ઈંસાફ ચાહીએ અને નાચે મયૂરી તેમની ઉલ્લેખનીય હિન્દી ફિલ્મો છે. તેમણે જીતેન્દ્ર, રજનીકાંત, ઋષિ કપૂર, મિથુન ચક્રવર્તી અને શ્રીદેવી જેવા સ્ટારને નિર્દેશિત કર્યા હતા.
અનુપમ ખેરે દુ:ખ વ્યક્ત કર્યું
તેમના નિધન પર અનુપમ ખેરે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, અનુભવી ફિલ્મ નિર્માતા અને પ્રિય મિત્ર #TRAmaRaoજીના નિધન વિશે જાણીને ઉંડો આધાત લાગ્યો છે. મેં તેમની સાથે આખરી રાસ્તા અને સંસારમાં કામ કર્યું છે, જે મારા માટે સૌભાગ્યની વાત છે. તે દયાળુ, આજ્ઞાકારી હતી. તેમનામાં ગ્રેટ સેંસ ઓફ હ્યૂમર હતું. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છે. શાંતિ'