સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી બોલિવૂડમાં ઘણું બધું બદલાઈ ગયું છે. નેપોટિઝ્મ પર વિવાદ શરૂ થવાની સાથે જનતા સેલેબ્સ પર પણ નજર રાખી રહી છે કે કોણ કોને સપોર્ટ કરી રહ્યું છે. કોણ કયા મુદ્દે શું કહી રહ્યું છે, પરંતુ ગુસ્સાનું કેન્દ્ર અને સૌથી મોટો વિલન બોલિવૂડ જ છે.
સુશાંતની મોત બાદ બોલિવૂડમાં વિવાદ
હવે બે દિગ્ગજ ડિરેક્ટર્સ બોલિવૂડમાંથી આપ્યું રાજીનામું
સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
અનુભવ સિન્હાએ આપ્યું રાજીનામું
ENOUGH!!!
I hereby resign from Bollywood.
Whatever the fuck that means.
— Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 21, 2020
હવે ડિરેક્ટર અનુભવ સિન્હાએ મોટો નિર્ણય લીધો છે અને બોલિવૂડમાંથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું સાચા અર્થમાં એક અભિયાન છે, જેની સાથે અન્ય કેટલાક ફિલ્મમેકર્સ પણ જોડાઈ ગયા છે. અનુભવે ટ્વિટ કરીને જણાવ્યું કે-બસ બહુ થયું, હું બોલિવૂડમાંથી રાજીનામું આપી રહ્યો છું. આ જાહેરાત સાથે અનુભવે તેની ટ્વિટર પ્રોફાઈલ પણ ચેન્જ કરી નાખી. તેણે તેના નામની આગળ નોટ બોલિવૂડ લખી દીધું છે.
અનુભવના આ અભિયાનમાં અન્ય ફિલ્મમેકર્સ પણ જોડાયા છે. સુધીર મિશ્રાએ ટ્વિટ કરીને આ અભિયાનનો સપોર્ટ કર્યો છે અને એટલે સુધી કહી દીધું કે તેઓ બોલિવૂડમાં ક્યારેય હતા જ નહીં. તેઓ આ ઈન્ડસ્ટ્રીમાં માત્ર સારી ફિલ્મો બનાવવા આવ્યા હતા. ટ્વિટમાં લખ્યું છે- શું છે આ બોલિવૂડ. હું તો સિનેમાનો હિસ્સો બનવા આવ્યો હતો, જ્યાં સત્યજીત રે, રાજ કપૂર, ગુરુ દત્ત, બિમલ રોય, જાવેદ અખ્તર જેવા લોકો કામ કરે છે. હું તો હમેશાં આ જ ઈન્ડસ્ટ્રી સાથે રહેવાનું છું.
Chalo Ek Aur aaya. Sun lo bhaiyon. Ab jab aap Bollywood ki baat kar rahe go to hamaari baat nahin kar rahe. https://t.co/xvCCg5TmEt
— Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 21, 2020
આ બધાંનો મતલબ સાફ છે કે, અનુભવ સિન્હા ટ્રોલિંગથી પોતાને બચાવવા માંગે છે. તેઓ બોલિવૂડમાં ચાલી રહેલા નેપોટિઝમ વિવાદથી પણ પોતાને દૂર રાખવા માંગે છે. આ અભિયાન એ દિશામાં એક પગલું છે.