નરેન્દ્ર મોદીએ હાલ જ બનાસકાંઠામાં આવેલ ઓગડનાથજી મંદિરની મુલાકાત દરમિયાન ભગવાન ઓગડનાથજીને પ્રણામ કરીને મંદિરના મહંત સાથે ચર્ચા પણ કરી હતી.
પીએમ મોદીએ ઓગડનાથજી મંદિરની મુલાકાત લીધી હતી
લોકોમાં ઓગડનાથજી પ્રત્યે અતૂટ ભક્તિ
બનાસકાંઠામાં આવે છે 9 બેઠકો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના તેમના ચૂંટણી પ્રવાસ દરમિયાન એમને ઓગડનાથજી મંદિરની પણ મુલાકાત લીધી હતી. જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં આ ઐતિહાસિક મંદિરની ખૂબ જ પ્રતિષ્ઠા છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજના લોકો આ મંદિરમાં ઊંડી આસ્થા ધરાવે છે. નરેન્દ્ર મોદીએ હાલ જ આ મંદિરની મુલાકાત દરમિયાન ભગવાન ઓગડનાથજીને પ્રણામ કર્યા હતા અને મંદિરના મહંત સાથે પણ ચર્ચા પણ કરી હતી. આ ઐતિહાસિક મંદિર બનાસકાંઠાના નાથપુરામાં આવેલું છે અને આ મંદિરમાં ઓગડનાથજીના ચરણ પાદુકાઓ બિરાજમાન છે. જણાવી દઈએ કે આ મંદિર દેવ દરબાર જાગીર મઠમાં આવેલું છે અને આ મઠનું મહત્વ બનાસકાંઠાની મુલાકાતે આવતા ગુજરાતના અન્ય ભાગોમાંથી આવતા પ્રવાસીઓની ભીડ પરથી જાણી શકાય છે. હાલ તાજેતરના વર્ષોમાં જ જીણોદ્વાર અને મઠ સંકુલને સારું બનાવવામાં આવ્યું છે.
લોકોમાં ઓગડનાથજી પ્રત્યે અતૂટ ભક્તિ
ત્યાંના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે ઓગડનાથજી મંદિર પહોંચ્યા હતા અને ત્યાં ભગવાન ઓગડનાથજીના દર્શન કર્યા હતા. જણાવી દઈએ કે આ મંદિર સાથે ઘણી માન્યતાઓ પણ છે. એવું કહેવાય છે કે અહીં આસપાસના લોકોમાં ઓગડનાથજી પ્રત્યે અતૂટ ભક્તિ છે અને આ કારણે લોકો ઓગડનાથજીની શપથ એટલે કે કસમ પણ લે છે. એટલે કે ત્યાંનાં લોકો ઓગડનાથજીની કસમ ખાઈને કશું કહે તો લોકો તેના પર ફરીથી અવિશ્વાસ ણથી કરતાં એનએ તે સાચું બોલે છે એમ માની લે છે.
બનાસકાંઠામાં આવેલ આ મંદિર ઘણું જૂનું છે. ઇતિહાસ વિશે વાત કરી તો આ મંદિર ત્યારે બનાવવામાં આવ્યું હતું જ્યારે દેશમાં રાજા-રજવાડોનો સમય હતો. હાલ આ મંદિરની જાળવણીની જવાબદારી દેવ દરબાર જાગીર મઠના મહંતની જ છે અને થોડા વર્ષો પહેલા આ મઠ સંકુલની નોંધણી દેવસ્થાન ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી.એ પછીથી જ ત્યાંનાં મંદિરોની સ્થિતિ સુધારવાની પ્રક્રિયા ચાલુ છે. સાથે જ જ્યારે પીએમ મોદી મઠ પહોંચ્યા ત્યારે ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડા પ્રધાને ત્યાંના મુખ્ય મહંત બલદેવજી મહારાજ સાથે પણ વાત કરી હતી.
બનાસકાંઠામાં આવે છે 9 બેઠકો
જો કે પીએમ મોદીની બનાસકાંઠાની મુલાકાત ઘણી રીતે મહત્વની હતી એનએ મોદીએ માત્ર મઠ અને ઓગડનાથજીના મંદિરની મુલાકાત લઈને પોતાની શ્રધ્ધા જ ણથી બતાવવી પણ ત્યાંના લોકોના દિલમાં વસેલ ઓગડનાથજી દ્વારા એમને એક મોટો સંદેશ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લામાં કુલ 9 વિધાનસભા બેઠકો છે. જેમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દેવધર, કાંકરેજ બેઠકો સામેલ છે.