બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / પ્લેનના મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી દેશના 4 મોટા શહેર માટે મળશે સીધી ફ્લાઇટ
Last Updated: 10:20 PM, 11 December 2024
Ahmedabad Airport : અમદાવાદ ઍરપૉર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઇટ મળી જશે. વાસ્તવમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઇટ શરુ કરી દેવામાં આવી છે. આ ચાર શહેરો માટે વિમાન સેવા શરુ થતાં ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે. અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઇટ સોમવાર અને બુધવાર શુક્રવાર અને શનિવારે ઉડાન ભરશે. જે 4:25 વાગ્યે અમદાવાદથી ઉડાન ભરશે અને સાંજે 7:05 વાગ્યે ત્રિવેન્દ્રમ પહોંચશે. જ્યારે ત્રિવેન્દ્રમથી આ ફ્લાઇટ સાંજે 7:35 વાગ્યે ઉડાન ભરશે અને અમદાવાદ રાત્રે 9:55 વાગ્યે પહોંચશે.
ADVERTISEMENT
હવે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફર સીધા કોચીન ત્રિવેન્દ્રમ કોલકત્તા અને ગુવાહાટીની મુસાફરી કરી શકે છે. અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોચીન ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. SVPI અમદાવાદ એરપોર્ટથી Indigo એરલાઇન્સ દ્વારા વધુ ચાર નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોચીન ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટ દ્વારા મુસાફર દક્ષિણ ભારત પૂર્વ ભારત અને ઉત્તરપૂર્વ ભારતના લોકપ્રિય સ્થળોની મુલાકાત લઈ શકે છે. મંગળવારથી આ ત્રણેય ટુરીસ્ટ સ્પોટની મુસાફરી કરવા ઈચ્છતા લોકોને ડાયરેક્ટ ફ્લાઈટ ઉલબ્ધ કરાવવામાં આવી છે. સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે અમદાવાદથી ત્રિવેન્દ્રમની સીધી ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરશે. અમદાવાદથી કોચીન ફ્લાઇટ અઠવાડિયામાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ ચાલશે.
ADVERTISEMENT
કેરળના પશ્ચિમ ઘાટમાં ત્રિવેન્દ્રમ નજીક આવેલું રમણીય હિલ સ્ટેશન પોનમુડી હરિયાળી, ટેકરીઓ અને સૌમ્ય પર્વતીયમાળાઓથી ઘેરાયેલું શાંતિપૂર્ણ પર્યટન સ્થળ છે. તેની આસપાસ ફેલાયેલા ચાના બગીચાઓના મનોહર દૃશ્યોથી અને મનમોહક સુગંધથી ભરપૂર છે. વળી પોનમુડી પર કેટલાય ધોધ, ગોલ્ડન વેલી, સ્ટ્રીમ્સ- સ્વિમિંગ અને અનવાઈન્ડિંગ માટેના અનેક પર્યટન સ્થળો આવેલા છે. પેપ્પરા વન્યજીવ અભયારણ્યમાં હરણ, પક્ષીઓ અને અવારનવાર ચિત્તાના દર્શન પણ થતા રહે છે.
બેકવોટર્સ પૂવર અને મુનરો ટાપુ, કોવલમ અને વરકાલાનો દરિયાકિનારો, આયુર્વેદ માટે જાણીતી શાંતિગીરી, નાઇટલાઇફ માટે પ્રખ્યાત વરકાલા, વન્યજીવન ધરાવતું નેયાર, ઇકોટુરિઝમ માટેની થેનમાલા, એડવેન્ચર ટુરિઝમ માટે કોવલમ અને વરકલા જેવા રમણીય સ્થળો છે. વળી તીર્થયાત્રા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે પદ્મનાભ સ્વામી મંદિર, કન્યાકુમારી, હેરિટેજ પદ્મનાભપુરમ મહેલ, એલિફન્ટ પાર્ક- કોટ્ટૂર, વગેરે જેવા સ્થળોની આપ મુલાકાત લઈ શકો છો.
વધુ વાંચો : ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી, આરોગ્ય વિભાગે ઠંડીથી બચવા જાહેર કરી માર્ગદર્શિકા
દાર્જિલિંગની વાત કરીએ તો ચાલસા, સિલિગુડી અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળોનો પ્રવાસ કરવા તમે અમદાવાદથી ગુવાહાટી ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈ શકો છો. સિટી ઓફ જૉયના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત કોલકાત્તાની મુસાફરી દરમિયાન દક્ષિણેશ્વર કાલી મંદિર, રવીન્દ્ર સરોવર, પ્રિન્સેપ ઘાટ, હાવડા બ્રિજ જેવા ખાસ સ્થળોના વારસાથી પરિચિત થઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT