વલસાડઃ કોસંબાની બોટ અરબી સમૂદ્રમાં ડૂબી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ભારે પવનના કારણે મુંબઈ નજીક દરિયામાં જય ખોડિયાર નામની બોટ ડૂબી ગઈ છે. જોકે આ બોટમાં સવાર 10 જેટલા ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. એવી પણ માહિતી છે કે અન્ય એક બોટ પણ દરિયામાં ફસાઈ છે. જેના પર સવાર ખલાસીઓને બચાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે અરબી સમુદ્રમાં ભારે પવનથી દરિયો ગાંડો તુર બન્યો છે. જેને લઇને માછીમારો પરત ફર્યા છે. વલસાડની 700 બોટ અરબી સમુદ્રમાં માછીમારી માટે ગઇ હતી. જેમાંની કેટલીક બોટ સંપર્ક વિહોણી બની હતી. જ્યારે 300 બોટના કોડીનાર બંદરે લંગારાવામાં આવી હતી. 100 જેટલી બોટ વલસાડ પરત ફરી હતી.
જો કે કેટલાક માછીમારો કિનારાના વિસ્તારોમાં પહોંચી ગયા હતા. ત્યારે કોસંબાની બોટલ અરબી સમુદ્રમાં ડૂબી ગઇ છે. મુંબઇ નજીક દરિયામાં જય ખોડિયાર નામની બોટ ડૂબી ગઇ છે. જેમાં સવાર 10 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.