વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં દીપોત્સવથી ઝળહળી ઉઠ્યું હતું. આજથી શરુ થયેલા નિર્માણ કાર્ય દરમિયાન 31 હજાર દીવડાઓના દીપોત્સવની ઉજવણી કરવામાં આવી
ઉમિયા ધામમાં 31 હજાર દીવડાઓનો દીપોત્સવ
નીતિન પટેલ અને જીતુ વાઘાણીએ પણ પ્રગટાવ્યા દીવા
જાસપૂરમાં નિર્માણાધીન વિશ્વનું સૌથી ઊંચું મંદિર
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં દીપોત્સવથી ઝળહળી ઉઠ્યું હતું. આજથી શરુ થયેલા નિર્માણ કાર્ય દરમિયાન 31 હજાર દીવડાઓના દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ દીપ પ્રાકટ્ય કર્યો હતો.
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાના મંદિરનું નિર્માણ થનાર છે ત્યારે આજથી તેના નિર્માણ કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે..વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના મંદિરના નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સહીત વિવિધ કાર્યક્રમોના આયોજન વચ્ચે નિર્માણ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું
ઉમિયાધાન નિર્માણને લઈને દિવસભર આજે પૂજા અર્ચનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો , એટલું જ નહીં આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે જેની ઊંચાઈ 504 ફુટ રાખવામાં આવી છે.મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભમાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ પૂર્વ સીએમ વિજય રૂપાણી,પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સહિતના ભાજપ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા