બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નિધન મામલે સતત નવા ખુલાસા થઇ રહ્યાં છે. સુશાંતની મોત 14 જૂનના રોજ થઇ રહી, કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતે આત્મહત્યા કરી લીધી છે પરંતુ કેટલાક ચિહ્ન ઇશારા કરી રહ્યા છે કે તેની હત્યા થઇ છે. સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને CBI હવે આ કેસની તપાસ કરી રહી છે.
સુશાંતના સ્ટાફમાંથી કરવામાં આવ્યો મેસેજ
કુશાલ નામના મિત્રને કર્યો હતો મેસેજ
સોશ્યલ મિડીયા પર ચૅટ થઇ રહી છે વાયરલ
દિપેશ સાવંત, સિદ્ધાર્થ પિઠાણી, કેશવ અને નિરજની સતત પૂછપરછ થઇ રહી છે. હાલમાં જ દિપેશ સાવંતની એક વ્હોટ્સઍપ ચેટ વાયરલ થઇ છે. 14 જૂને સવારે 11 વાગ્યાની આસપાસ સુશાંતના મિત્ર કુશાલને એક મેસેજ કર્યો હતો કે સુશાંતે મને તમારી સાથે ફ્લિપકાર્ટ સંબંઘિત જાણકારી માટે સંપર્કમાં રહેવા માટે કહ્યું છે અને થોડા સમયમાં જ સુશાંતના મોતની ખબર સામે આવી હતી. કુશાલે તે સમયે મેસેજ જોયો ન હતો.
કુશાલે આ મેસેજ 2.48 વાગે બપોરે જોયો જ્યારે તેને સુશાંતની મોત વિશે ખબર પડી હતી. ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે ભાઇ ઠીક તો છે ને, પ્લીઝ હા કે ના માં જવાબ આપો. ભાઇ અમે બાર જ છીએ કોઇ પણ વસ્તુની જરૂર પડે તો કહેજે હું 5 મિનીટમાં હાજર થઇ જઇશ.
હાલમાં આ ચૅટ સોશ્યલ મિડીયા પર ખૂબ જ વાયરલ થઇ રહી થે. હવે જોવાનુ તે છે કે આ ચેટને સીબીઆઇ કેવી રીતે અને ક્યા એન્ગલથી લે છે. દિપેશ સુશાંત સાથે લાંબં સમયથી કામ કરી રહ્યાં હતા. સુશાંતની જે દિવસે મોત થઇ તે દિવસે દિપેશ અન્ય સ્ટાફ સાથે ઘરમાં જ હાજર હતા. દિપેશ સાવંત, સિદ્ધાર્થ પિઠાણ આ બંને શખ્સ પર સીબીઆઇ સકંજો કસ્યો છે. જો કે રિપોર્ટ સામે આવ્યા છે કે તે બંને સરકારી વિટનેસ બનવા તૈયાર છે.
તે સિવાય લોકોના મનમાં એક બીજો સવાલ પણ છે કે રિયા ચક્રવર્તીની ધરપકડ કેમ નથી થઇ રહી, આ સવાલ પણ સોશ્યલ મિડીયા પર ટ્રેન્ડ થઇ રહ્યો છે. ત્યારે સીબીઆઇ શું વિચારે છે તે પણ જોવાનું રહે છે.
CBI ઇચ્છે છે કે તપાસ ઢીલી ન પડે
રિયા વિરુદ્ધ CBI પાસે કોઇ પુરાવા નથી આવ્યા, સુશાંતની આત્મહત્યા કે હત્યા આ પ્રશ્નનો જવાબ હજૂ મળ્યો નથી પરંતુ CBI દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. કેકે સિંઘની ફરિયાદમાં સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ છે.
અત્યાર સુધીની તપાસમાં કેટલાક લોકો સાથે પૂછપરછ કરવામાં આવી છે. સિદ્દાર્થ પિઠાણીથી લઇને કેશવ, નીરજ અને ઘરના નોકર સુધી દરેક લોકોની પૂછપરછ કરવામાં આવી છે. દરેક લોકો અલગ અલગ નિવેદન આપી રહ્યા છે.
કોણ સાચુ બોલી રહ્યું છે અને કોણ જુઠ્ઠુ તેને લઇને CBI કોઇ નિર્ણય નથી લઇ શકી. આવી પરિસ્થિતિમાં પૉલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવે છે.જો રિયા વિશે કોઇ ખુલાસા નહી થાય તો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે.
રિયાની ધરપકડ માટે સીબીઆઇ પાસે સુશાંતની ઓટોપ્સી, વિસરા અને ફોરેન્સિક તપાસના રિપોર્ટ છે. સુશાંતના ઘરે ફરી ક્રાઇમ સીન રિક્રીએટ થશે પરંતુ જો રિયા વિરુદ્ધ કોઇ પણ પુરાવા મળ્યા તો તેની તાત્કાલિક ધોરણે ધરપકડ થશે.
સ્યુસાઇડ અને હોમીસાઇડના કેસમાં સીબીઆઇનો ટ્રેક રેકોર્ડ પણ એક મોટુ કારણ છે. ભાગ્યે જ કોઇ કેસમાં મુખ્ય આરોપીને કોર્ટમાં દોષી સાબિત કરવામાં આવ્યો છે. સીબીઆઇના હાથે રિયાના ફોન રેકોર્ડ, બેન્ક સ્ટેટમેન્ટ અન બીજા અન્ય કાગળો છે. તેમાંથી કંઇ પણ એવુ નથી કે રિયાને જેલના સળિયા પાછળ ધકેલી શકે પરંતુ ડ્રગ ચૅટ રિયા માટે ફાંસીનો ફંદો સાબિત થઇ શકે છે.