આખરે દિનેશ કાર્તિકે એવું પગલું લીધું છે જેની કોલકાતા નાઈટરાઈડર્સના ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
કાર્તિકે IPLના ટુર્નામેન્ટ જયારે મધ્યાહને પહોંચી છે ત્યારે તેની કેપ્ટન્સી છોડી દીધી છે અને નવા કેપ્ટન તરીકે ઇઓન મૉર્ગનને જાહેર કર્યો છે.
આ છે કેપ્ટનશીપ છોડવા પાછળનું કારણ
દિનેશ કાર્તિકે KKRના મેનેજમેન્ટને કહ્યું છે કે તે પોતાની બેટિંગ ઉપર ફોકસ કરવા માટે અને ઓવરઓલ ટીમના ફાયદા માટે પોતાની કપ્તાની ઇંગ્લેન્ડના ઇઓન મૉર્ગનને સોંપવા માંગે છે. KKRએ આ મુદ્દે ટ્વીટ કર્યું છે અને આ નિવેદન તેમણે વેબસાઈટ ઉપર પણ મૂક્યું છે.
આ જાહેરાત અપેક્ષિત જ હતી પરંતુ આ જાહેરાત KKRની આવતી મેચના થોડા કલાકો પહેલા કરવામાં આવી છે જ્યાં તેમનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થવા જઈ રહ્યો છે. 4 જીત અને 3 હાર સાથે KKR ટેબલના ચોથા સ્થાને છે.
કેપટન્સીને કારણે કાર્તિક દબાણમાં હોય તેવું લાગી રહ્યું હતું. તેણે 7 મેચમાં 15ની સામાન્ય એવરેજ સાથે ફક્ત 108 રન નોંધાવ્યા છે.