ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ દરમિયાન કોમેન્ટ્રી કરતી વખતે દિનેશ કાર્તિક વિવાદમાં આવ્યો હતો.
દિનેશ કાર્તિકે વ્યક્ત કર્યું પોતાનું દુઃખ
કોમેન્ટ્રી દરમિયાન કાર્તિક દ્વારા થઈ હતી ભૂલ
કાર્તિકે છેલ્લી વન-ડે દરમિયાન માંગી માફી
ટીમ ઇન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે તાજેતરમાં જ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલથી કોમેન્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તેમની કોમેન્ટ્રીનો અંદાજ લાખો લોકોને પસંદ આવ્યો હતો પરંતુ તે દરમિયાન થયેલી ભૂલના કારણે લોકોની નારાજગી સહન કરવી પડી હતી.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં સુનીલ ગવાસ્કર સિવાય દિનેશ કાર્તિક પણ ભારતીય કોમેન્ટેટર હતો. તેણે ગૌરવ કપૂરના પોડકાસ્ટ 22 Yarnsમાં દિનેશ સાથે થયેલા વર્તન વિશે જણાવ્યું હતું. દિનેશ કાર્તિકે જણાવ્યું કે, WTCના પ્રથમ અને બીજા દિવસે તેની કોમેન્ટ્રીની ખુબ પ્રશંસા થઈ હતી પરંતુ ત્રીજા દિવસે લોકોએ તેને અપશબ્દો કહ્યા હતા.
મને અપશબ્દો કહ્યાં હતા
દિનેશ કાર્તિકે જણાવ્યું કે, સોશ્યલ મીડિયા પર લોકો તેના વિશે ખરાબ કોમેન્ટ્સ કરી રહ્યાં હતાં. તેણે વધુમાં જણવ્યું કે, લોકો તેને અપશબ્દો કહેવા લાગ્યા હતા.
અગાઉ દિનેશ કાર્તિકે ઇંગ્લેન્ડ અને શ્રીલંકાના વચ્ચેની બીજી વન-ડેના દરમિયાન કોમેન્ટ્રી કરતા કહ્યું હતું કે, 'મોટાભાગના બેટ્સમેનને પોતાનું બેટ નથી ગમતું તેમને બીજા બેટ્સમેનનું બેટ વધારે ગમે છે. બેટ પડોસીની પત્ની જેવું હોય છે, તે હંમેશા વધારે સારું ફિલ કરાવે છે.
દિનેશ કાર્તિકને ટૂંક સમયમાં પોતાની ભૂલ સમજાઈ ગઇ હતી. ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની છેલ્લી વન-ડે દરમિયાન તેણે કહ્યું કે, ગઈકાલે મેચ દરમિયાન મારાથી જે ભૂલ થઈ હતી તેના માટે હું માફી માંગું છું. આવી કોમેન્ટ્રીના કારણે મારી માતા અને પત્નીએ પણ ખરીખોટી સંભળાવી હતી. જેના કારણે હું એમ્બેરેસ ફીલ કરી રહ્યો છું અને આવી ભૂલ બીજીવાર નહી કરું.