દિનેશ કાર્તિકે કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં અસંભવને સંભવ કરી બતાવ્યુ તેણે છેલ્લા બૉલ પર સિક્સર લગાવીને ટીમ ઇન્ડિયાને જીતાડી દીધી. પરંતુ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફાઇનલની જીતની આ સિક્સરને ના જોઇ શક્યો.
વાસ્તવમાં રોહિત શર્માને લાગી રહ્યુ હતુ કે મેચ ટાઇ થવા પર સુપર ઑવર આવશે. રોમાંચક જીત પછી રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે ''જે વખતે કાર્તિકે છેલ્લા બૉલ પર સિક્સર લગાવી ત્યારે હું પેડ પહેરવા માટે ડ્રેસિંગ રૂમમાં અંદર જતો રહ્યો હતો.મને લાગ્યુ કે મેચ સુપર ઑવર આવી શકે છે.''
ટીમ ઇન્ડિયાને છેલ્લા બૉલ પર 5 રનની જરૂર હતી અને કાર્તિકે સૌમ્ય સરકારના બૉલ પર કવર્સ પરથી સિક્સર લગાવીને ટીમ ઇન્ડિયાને જીત અપાવીને ચેમ્પિયન બનાવી દીધું. આ શોર્ટ જેણે પણ જોયો તે બધા દંગ રહી ગયા હતા.
રોહિત કાર્તિકના ભરપેટ વખાણ કર્યા:
રોહિતે મેચ પછી પ્રેઝન્ટેશનમાં કહ્યું “દિનેશે સારી બેટિંગ કરીને ઘણો સંતોષ આપ્યો છે. તેણે જે કર્યું તે શાનદાર હતું. તેને સીરિઝમાં વધારે બેટિંગનો ચાન્સ નહોતો મળ્યો પણ આજે તેણે પોતાની પ્રતિભા અને તાકાતનો અહેસાસ કરાવ્યો.” કાર્તિકને બેટિંગ ક્રમમાં નીચે મોકલવા પર રોહિતે કહ્યું અમે જાણી જોઈને આમ કર્યું હતું કારણ કે અમને કાર્તિકના ફિનિશિંગ ટેલેન્ટ અને અનુભવ પર વિશ્વાસ હતો અને તેનો ફાયદો થયો.