દિનેશ બાંભણિયાએ બિનઅનામત આયોગને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં બિનઅનામત આયોગની કામગીરી પર આક્ષેપ કરવામાં આવ્યા છે.
બિનઅનામત આયોગને લઇને દિનેશ બાંભણિયાનો CMને પત્ર
પત્રમાં બિનઅનામત આયોગની કામગીરી પર બાંભણિયાના આક્ષેપ
પત્રમાં કોઇ પણ પ્રકારના જવાબ સમયસર ન મળતા હોવાનો આક્ષેપ
બિનઅનામત આયોગમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે વ્યવસ્થા ન હોવાની રજૂઆત દિનેશ બાંભણીયાએ કરી છે. આ સાથે અરજીના એક વર્ષ બાદ પણ વિદ્યાર્થીઓને લાભ ન મળતો હોવાનો પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તદુપરાંત આ અંગે વારંવાર રૂબરૂ રજૂઆત કરવા છતાં જવાબ ન મળતો હોવાનો પણ પત્રમાં બાંભણિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે દિનેશ બાંભણિયાએ બિનઅનામત આયોગ દ્વારા લાભ ન આપવાનો હોય તો નિગમ બંધ કરવાનું પણ સૂચન પત્રમાં કર્યું છે.
બિન અનામત વર્ગના આયોગ અને નિગમમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઇ વ્યવસ્થા નહીં
તમને જણાવી દઇએ કે, દિનેશ બાંભણિયાએ મુખ્યમંત્રીને બિન અનામત વર્ગના નિગમ અને આયોગને બંધ કરવા બાબતે પત્ર લખીને જણાવ્યું છે કે, 'ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનના પ્રયાસોથી બનાવવામાં આવેલ બિન અનામત વર્ગના આયોગ અને નિગમમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઇ પણ પ્રકારની વ્યવસ્થા નથી.' આ સાથે પત્રમાં જણાવ્યું છે કે, 'વિદ્યાર્થીઓ વારંવાર ધક્કા ખાઇ રહ્યાં છે. ટેલિફોન પણ ઉપાડતા નથી. કોઇ પણ પ્રકારના જવાબ સમયસર મળતા નથી. એક વર્ષથી કરેલી અરજીઓનું હજુ કોઇ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું.'
વધુમાં જણાવ્યું કે, 'ઘણી બધી રજૂઆતો પત્રો દ્વારા અને રૂબરૂ પણ કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કોઇ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. ઘણા વિદ્યાર્થીઓએ નિગમમાં અરજીઓ કરી ને લોન અથવા સહાયની અપેક્ષા એ પોતાના અભ્યાસની શરૂઆત કરે છે, પછી સમયસર પૈસા ન મળતા ભ્રષ્ટાચાર અને દેવામાં આવી જાય છે. જેથી ઘણા પરિવારો હેરાન-પરેશાન થઇ રહ્યાં છે.'
જુઓ પત્રની અંદર વધુમાં શું લખ્યું છે?
જાણો શું છે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ?
બિનઅનામત વર્ગના આયોગમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી
પ્રશ્નોના નિકારણ માટે વિદ્યાર્થીઓ ખાવા પડે વારંવાર ધક્કા