દિલ્હીમાં શરાબ નીતિ કૌભાંડ કેસમાં આરોપી દિનેશ અરોડાને સરકારી સાક્ષી બનાવવા માટે CBIએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી
દિલ્હીમાં શરાબ નીતિ કૌભાંડ કેસમાં નવો વળાંક
હું સ્વેચ્છાએ સરકારી સાક્ષી બનવા તૈયાર છું:દિનેશ અરોડા
14 નવેમ્બરે દિનેશ અરોડાનું નિવેદન નોંધાશે
દિલ્હીમાં શરાબ નીતિ કૌભાંડ કેસમાં આરોપી દિનેશ અરોડાને સરકારી સાક્ષી બનાવવા માટે CBIએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી. અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટમાં સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં તેમની સુનાવણી શરૂ થઈ હતી. જે દરમિયાન આરોપી દિનેશ અરોડા પણ કોર્ટ રૂમમાં હાજર હતો. દિનેશ અરોડાએ કહ્યું કે મારા વકીલ આરકે ઠાકુર દ્વારા 1 નવેમ્બર 2022ના રોજ મારા વતી અરજી કરી હતી. તેણે કહ્યું કે, હું સ્વેચ્છાએ સરકારી સાક્ષી બનવા તૈયાર છું.
દિનેશ અરોડાનું નિવેદન
તેણે કહ્યું કે, હું આ મામલાને લગતા તમામ તથ્યો કોર્ટ સમક્ષ સામે રજૂ કરીશ. તેણે કહ્યુ કે, આ કેસમાં મારી સામેના આરોપોના સંદર્ભમાં પણ તમામ સત્ય જણાવીશ. દિનેશ અરોડાએ કહ્યું કે હું પણ તપાસમાં સહકાર આપતો રહ્યો છું અને રહીશ અને મેં તપાસ અધિકારી સમક્ષ કેટલાક નિવેદનો આપ્યા છે. મેં એસીએમએમની કોર્ટમાં કબૂલાતનું નિવેદન પણ આપ્યું છે.
"સ્વૈચ્છિક સરકારી સાક્ષી બનવા માગુ"
કોર્ટે દિનેશ અરોડાને પૂછ્યું કે કોઈ દબાણમાં નથી ને, સીબીઆઈ તરફથી કોઈ ધમકી નથી મળી? આના પર દિનેશ અરોડાએ કહ્યું કે તે સ્વેચ્છાએ સમગ્ર મામલે જણાવી રહ્યો છું. તેની પાસે આ કેસ સંબંધિત જે પણ માહિતી છે તે રજુ કરવા તૈયાર છે. દિનેશ અરોડાએ કહ્યું કે તેમનું નિવેદન કેમેરામાં (બંધ રૂમમાં) રેકોર્ડ કરવા જોઈએ. એક્સાઇઝ કેસમાં દિનેશ અરોડાનું ડિસ્ક્લોઝર સ્ટેટમેન્ટ 14 નવેમ્બરે નોંધવામાં આવશે.
14 નવેમ્બરે દિનેશ અરોડાનું નિવેદન નોંધાશે
આરોપી દિનેશ અરોડાએ કોર્ટ પાસે સરકારી સાક્ષી બનવાની પરવાનગી માંગી હતી. દિનેશ અરોડાએ શપથ લીધા કે તેઓ કોઈપણ દબાણ વગર સરકારી સાક્ષી બનવા માંગે છે. દિનેશ અરોડાએ તેમની સામેના આરોપોની ક્ષમા માટે અરજી દાખલ કરી હતી. કોર્ટ દિનેશ અરોડાની અરજી પર 14 નવેમ્બરે સુનાવણી કરશે. 14 નવેમ્બરે અરોડાનું નિવેદન પણ નોંધવામાં આવશે. દિનેશ અરોડાને સરકારી સાક્ષી બનાવવો કે નહીં તે પછી રાઉઝ એવન્યુ કોર્ટ નક્કી કરશે.