દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર કંગના અને દિલજીત દોસાંજ વચ્ચે ટ્વિટર વૉર થયા બાદ ઘણા બધા સેલેબ્સ ખેડૂતોના સમર્થનમાં અને કંગનાની વિરુદ્ધમાં આવી ગયા હતા. ત્યારે દિલજીત દોસાંજે ખેડૂત આંદોલનને શક્ય હોય તેટલી મદદ કરી છે. હાલમાં જ તેણે 1 કરોડ રૂપિયાનું ખેડૂતોને દાન કર્યુ છે જેનાથી ખેડૂતો માટે ગરમ કપડા અને ધાબળા ખરીદવામાં આવશે.
પંજાબી સિંગરે કર્યો ખુલાસો
દિલજીતે 1 કરોડ રૂપિયાનું દાન કર્યુ તે વાત પંજાબી સિંગર સિંધાએ પોતાના સોશ્યલ મિડીયા અકાઉન્ટ પર શૅર કરી હતી અને ખેડૂતોને સમર્થન આપવા બદલ દોસાંજનો આભાર માન્યો હતો. દિલજીત પહેલેથી જ ખેડૂતોને સમર્થન કરી રહ્યો છે અને ખેડૂતોની માંગણી પૂરી કરવાની વાત કરી છે.
કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગણી કરે પૂરી
દિલજીતની કેટલીક તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા છે જેમાં તે ખેડૂતોની વચ્ચે બેસીને તેમનો સપોર્ટ કરી રહ્યો છે. તેણે કહ્યું કે કેન્દ્ર સરકરાને એક જ અપીલ કરીએ છીએ કે ખેડૂતોની માંગણી પૂરી કરે.
કંગના રનૌત છેલ્લા થોડા દિવસથી લાઇમલાઇટમાં છે ત્યારે ખેડૂત આંદોલનને લઇને કંગનાએ કરેલી ટ્વિટ બાદ વિરોધ વંટોળ ઉઠ્યો છે. કંગનાએ એક વૃદ્ધા પર ટિપ્પણી કરતા દિલજીત દોસાંજ, મિકા સિંહ અને હિમાંશી ખુરાના જેવા બોલિવૂડ સેલેબ્સે કંગનાની ટીકા કરી છે. ત્યારે હવે ભોજપુરી ઇન્ડસ્ટ્રીના નિશાને કંગના આવી ગઇ છે.
किसानों को हमारे साथ की जरुरत है, हम सब उनके साथ खड़े हैं! किसानों की मांगें जायज हैं, विरोध का तरीका जायज है, उम्मीद है सरकार इनकी मांगें मानेगी! #जयकिसानhttps://t.co/56bpGeU8fv
ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવે કંગના રનૌતના નિવેદન પર નારાજગી જતાવી છે અને એક ટ્વિટ કરી છે. જેમાં તેમણે કંગના પર નિશાનો સાધ્યો છે અને લખ્યું છે, એ ભાઇ, આ કંગનાને કઇ ખબર પડતી નથી અને આગળ ભોજપુરી ભાષામાં તેમણે એક્ટ્રેસની ટિકા કરી છે