ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ વધતા જતાં ખાતરના ભાવ પર મોટું નિવેદન આપ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય લડાઇ અને મટીરિયલના ભાવ વધ્યા છે જેને ખાતરના ભાવમાં વધારો થયો છે
ગુજકોમાલોના ચેરમેન દિલીપ સંઘાણીનું મોટું નિવેદન
આંતરરાષ્ટ્રીય લડાઇ અને મટીરિયલના ભાવ વધ્યા - સંઘાણી
ગાંધીનગર ખાતે ગુજકોમાસોલના નવા ભવનનું થશે લોકાર્પણ
વધતા ખાતરના ભાવ મુદ્દે પણ સંઘાણીએ આપ્યુ નિવેદન
ખાતરના વધતા ભાવ મુદ્દે પણ ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય લડાઇ અને મટીરિયલના ભાવ વધવાથી ખાતરના ભાવમાં વધારો થયો છે. હાલ યુરિયા સરકારને 5 હજારમાં પડે છે. પરંતુ યુરિયા ખેડૂતોને માત્ર 268 રૂપિયામાં આપવામાં આવે છે
અમિત શાહના હસ્તે ગુજકોમાસોલના નવા ભવનનું લોકાર્પણ કરાશે
બીજી તરફ ગાંધીનગર ખાતે ગુજકોમાસોલના નવા ભવનનું લોકાર્પણ સહકાર મંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 10 એપ્રિલેના રોજ કરશે.આ અંગે ગુજકોમાલોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોનું નવું ભવનમાં વિશાળ જગ્યાથી સજજ હશે. મહત્વનું છે કે, જૂની ઓફિસ 600 વારમાં હતી, જ્યારે નવી ઓફિસ 5 વિઘામાં બનાવવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, ગુજકોમાસોલના નવા ભવનથી પ્રગતિ અને ખેડૂતો માટે વિકાસનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડાશે અને સહકારી પ્રવૃત્તિથી આર્થિક સમૃદ્ધિનું માર્ગદર્શન મળશે