ગાંધીનગરઃ બે વર્ષ પહેલાં રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા પાટીદાર પર દમન ગુજારવામાં આવ્યો હતો. જેની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા પુજ કમિશનની રચના કરવામાં આવી છે. ત્યારે ગુરુવારે ફરી વખત પાસ કન્વીનર દિલીપ સાબવાની ટીમે પુજ કમિશનની મુલાકાત લઈને પાલનપુરના ગઢ ગામ ખાતે પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામેલા કનુભાઈ પટેલના કેસના પુરાવા સહિત એફિડેવિટ રજૂ કર્યું હતું.
જેમાં પરિવારના સભ્યોનો આપક્ષે છે કે આઇપીએસ ઓફિસર વિપુલ અગ્રવાલ અને દિલીપ રાણાના ઈશારે ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે આજ દિન સુધી આ મામલે કોઇ ફરીયાદ લેવામાં આવી નથી. જેથી પુજ કમિશનમાં આ મામલે રજુઆત કરીને દોષીતો સામે સખત પગલાં ભરવાની માગ કરી છે.
બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ પણ પુજ કમિશન સમક્ષ રજુવાત કરી હતી. તેમણે કહ્યું કે પાટીદાર દમન વખતે પોલીસ દ્વારા મારી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. પાટણ ખાતે ચાર ફરિયાદ મારા વિરુદ્ધ નોંધવાઈ છે. બીજા દિવસે પાટણમાં મારા વિરુદ્ધ વિવિધ કલમો દાખલ કરી હતી. આ તમામ ફરિયાદ ખોટી રીતે રજૂ કરવમાં આવી હતી. જેની તપાસ સીઆઇડી કાઈમ દ્વારા કરવામાં આવી રહી છે.
જ્યારે રેશમાં અને વરુણ ભાજપમાં જોડ્યા ત્યારે પાટીદાર સમાજ દ્વારા પાટણના બગવાડા ખાતે આ બન્નેનું પૂતળાનું દહન કર્યું હતું. જેથી અમારી સમક્ષ પોલીસે ફરિયાદ દાખલ કરી અને બીજા દિવસે આ જગ્યા પર ભાજપના કાર્યકતા દ્વારા હાર્દિક પટેલનું પૂતળું દહન કર્યું હતું. જેની ફરિયાદ નોંધવામાં આવી નથી પોલીસે એક તરફ વલણ રાખ્યું છે.