મહારાષ્ટ્રના ગૃહમંત્રી તરીકે અનિલ દેશમુખના રાજીનામા બાદ હવે દિલીપ પાટિલ આ પદ સંભાળશે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી તરીકે અનિલ દેશમુખનું રાજીનામું
દિલીપ પાટિલ બનશે નવા ગૃહમંત્રી
ઠાકરે સરકારે લગાવી મહોર
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે રાજીનામું રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું છે. પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ અનિલ દેશમુખ સતત વિવાદોમાં હતા અને આ કેસથી મહારાષ્ટ્રની સરકાર પર પણ દબાણમાં હતી.
30 ઓક્ટોબર 1956ના જન્મેલા દિલીપ પાટીલ મહારાષ્ટ્રના અંબેગાંવના વતની છે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના છ વખતના મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ મહારાષ્ટ્ર સરકારમાં આબકારી અને શ્રમ વિભાગના પ્રધાન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ અગાઉ નાણા અને યોજના મંત્રાલય, ઊર્જા મંત્રાલય, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રાલય અને તબીબી શિક્ષણ મંત્રાલયના અધ્યક્ષ હતા,
હાલમાં તેઓ રાષ્ટ્રીય ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડ (NFCSF)ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. દિલીપ વાલસે પાટિલ એક સ્વપ્નદ્રષ્ટા નેતા છે.
ભાજપના મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યું નિવેદન
રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, અનિલ દેશમુખના પદ પર રહેતા મુંબઇ પોલીસ તપાસ કરી શકેત નહીં. જ્યારે અમે નિષ્પક્ષ તપાસની માગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અનિલ દેશમુખ પાસે તમામ લોકો રાજીનામાની માગ કરી રહ્યા છે પરંતુ તેઓ આપી રહ્યા નહોતા. આજે તો કમાલ થઇ ગઇ. શરદ પવારની સહમતિ લીધી અને રાજીનામું આપી દીધું. તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર સવાલ ઉઠાવતા પ્રસાદે પૂછ્યું હતું કે, તેઓ ક્યારે મોં ખોલશે? તેમનું મૌન રહેવું તે કેટલીય વાત તરફ ઇશારો કરી રહ્યું છે.
કોર્ટે ચુકાદો આપ્યા બાદ આજે રાજીનામું
નોંધનીય છે કે આજે જ બોમ્બે હાઇકોર્ટ દ્વારા નેલ દેશમુખ પર મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સોમવારે બોમ્બે હાઇકોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. 100 કરોડ રૂપિયા વસૂલીના આરોપોની તપાસ હવે CBI દ્વારા કરવામાં આવશે. બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં CBI તપાસના આદેશ આપી દીધા છે.
શું છે સમગ્ર કેસ
નોંધનીય છે કે પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને દાવો કર્યો હતો કે ગૃહમંત્રી દેશમુખ પોલીસ અધિકારી પાસે દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલી કરાવતા હતા અને તે બાદ પરમબીર સિંહ હાઇકોર્ટ પહોંચ્યા હતા.