દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનની હાલત ગંભીર છે. હાલ તે આઈસીયુમાં દાખલ છે. તમને જણાવી દઈએ કે, દિલીપ કુમારના બંને નાના ભાઈઓ, એહસાન ખાન અને અસલમ ખાન કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. અસલમ ખાનનું થોડાં દિવસ પહેલાં જ અવસાન થયું હતું. હવે દિલીપ કુમારની પત્ની સાયરા બાનુએ એહસાન માટે પ્રાર્થના કરવાનું કહ્યું છે.
એક નાના ભાઇના મોત બાદ દિલીપ કુમારના બીજા ભાઈની તબિયત ખરાબ
દિલીપ કુમારની પત્ની સાયરા બાનુએ એહસાન માટે પ્રાર્થના કરવા કહ્યું
સાયરા બાનુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોરોના વાયરસને કારણે અસલમ ભાઈની મોત થઈ ગઈ. અલ્લાહ તેમની આત્માને શાંતિ આપે. જ્યારે એહસાન ખાન ભાઈની હાલત નાજુક છે. એહસાન ભાઈ માટે પ્રાર્થના કરો. તે આઈસીયુમાં સંઘર્ષ કરી રહ્યા છે. મને આશા છે કે તે સ્વસ્થ થઈને ઘરે જલ્દી પાછાં આવશે.
સાયરાએ એ પણ સ્પષ્ટ કર્યું કે દિલીપ કુમારના બંને ભાઈઓ તેમની સાથે નહોતા રહેતા. સાયરાએ કહ્યું, હું આ એટલે સ્પષ્ટ કરી રહી છું કારણ કે લોકોને જ્યારે ખબર પડી કે એહસાન ભાઈ અને અસલમ ભાઈ કોરોના સંક્રમિત છે તો બધાંએ દિલીપ સાહબના સ્વાસ્થ્ય વિશે ફોન કરવાનું શરૂ કર્યું. લોકોને લાગ્યું કે બંને અમારી સાથે રહી રહ્યાં છે. હું પોતે 5 મહિનાથી ઘરની બહાર નથી ગઈ.
A post shared by saira banu (@therealsairabanu) on
ઉલ્લેખનીય છે કે, 97 વર્ષીય દિલીપ કુમારની દેખરેખ તેમની પત્ની સાયરા બાનુ કરે છે. એપ્રિલ મહિનામાં અભિનેતાએ એક પોસ્ટ શેર કરી જેમાં તેંણે લોકોને કોરોનાથી સાવચેત રહેવા કહ્યું હતું અને એક કવિતા પણ લખી હચી. તેમણે લખ્યું હતું- દવા પણ, આશીર્વાદ પણ, અન્યોથી અંતર પણ, ગરીબોની મદદ, નબળા લોકોની સેવા પણ.