કોરોના વાયરસના કારણે આખા દેશમાં હાહાકાર મચ્યો છે ત્યારે જનતા સરકાર પર પ્રશ્નો ઉઠાવી રહી છે. જેના પર જેઠાલાલે એક વિનંતી કરી છે.
દિલીપ જોશીએ કરી રિકવેસ્ટ
સરકારને દોષ ન આપો
કોવિડ પ્રોટોકોલનું પાલન કરો
સ્વાસ્થ્ય સેવા ન મળવા પર ગુસ્સો
લોકોનો ગુસ્સો સરકાર પર સ્વાસ્થ્ય સેવા વ્યવસ્થિત ન મળવા પર છે. તે સરકારને નિશાને લઇ રહ્યા છે અને તેના પર તારક મહેતા...ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ એક અપીલ કરી છે અને કહ્યું છે કે, કોરોના મહામારી માટે સરકારને દોષ આપ્યા વગર લોકડાઉનનું પાલન કરો. આશા છે કે આ મહામારીમાંથી છૂટકારો જલ્દી જ મળી જશે.
નાગરિકોએ જવાબદારી સમજવી જોઇએ
દિલીપ જોશીએ કહ્યું કે, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવુ જોઇએ અને માસ્ક પહેરવુ જોઇએ. મહામારીથી બચવા માટે બધા જ ઉપાય અપનાવવા જોઇએ. તેમણે કહ્યું કે, લોકોએ પોતે પોતાની જવાબદારી સમજવી જોઇએ અને સખ્તીનું પાલન કરવુ જોઇએ.
સરકારને દોષ આપવાથી કંઇ નહી થાય. આપણે લૉકડાઉનનુ પાલન કરવુ પડશે. માસ્ક પહેરવુ અને વેક્સિન લઇ લેવી જોઇએ. સતત સ્ટીમ લેવાની અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી હતી.
દેશમાં રોજ લાખોની સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે માસ્ક નથી પહેરતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નથી કરી રહ્યાં અને સરકારને દોષ આપી રહ્યાં છે. તેવા લોકોને દિલીપ જોશીએ વિનંતી કરી છે કે તેઓ માસ્ક પહેરે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.
હાલમાં તારક મહેતામાં બતાવી રહ્યાં છે કે પોપટલાલ અને ડૉક્ટર હાથી એક સ્ટિંગ ઓપરેશન કરી રહ્યાં છે. પોપટલાલને ખબર પડે છે કે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી ચાલી રહી છે ત્યારે તે હાથી ભાઇને વિશ્વાસમાં લઇને આ સ્ટિંગ ઓપરેશન કરવા નીકળી પડે છે. તેઓએ મિટીંગ ગોઠવી દીધી છે હવે પોપટલાલ અને હાથીને સફળતા મળે છે કે નહી તે જોવું રહ્યું.